Details

  1. home
  2. Products
  3. દજલાને કાંઠેથી

દજલાને કાંઠેથી

Dajalaana Kanthethi

By: LIET. DR. SATISHCHANDRA VYAS 'SHABD'
₹300.00

ઊની પહેરણ પહેરી ખુદની બંદગીમાં લીન રહેતો સંપ્રદાય એટલે સૂફીપંથ. સૂફીપંથના સૂફીસંગીત અને સૂફીનૃત્ય જેટલી જ પ્રભાવક છે સૂફીકથાઓ. આરબ પ્રદેશમાં વહેતી દજલા નદીને કાંઠે ઇસ્લામ ધર્મના અનેક સંતોએ પોતાના શિષ્યો અને અનુયાયીઓને ઉપદેશ આપતી તત્ત્વજ્ઞાનથી છલકાતી અનેક સૂફીકથાઓ રચી. આ સૂફીકથાઓને બાઉલ સમુદાય પોતાના પરિભ્રમણ દરમિયાન ગાતો રહ્યો, કથતો રહ્યો અને આમ આ કથાઓ કર્ણોપકર્ણ સંભળાતી ગઈ અને અનેક પેઢીઓ અને સીમાઓને ઓળંગી વિશ્વભરમાં ફેલાઈ. લેખક સતીશચંદ્ર વ્યાસ બાઉલ સાથેના સંપર્ક માટે ખૂબ જાણીતા છે. જે સાંપ્રત સમયના સૂફીકથાકાર બાઉલ રસૂલ પાસેથી આવી જ સૂફીકથાઓનું રસપાન કરી તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે અને આપણને મળે છે પુસ્તક ‘દજલાને કાંઠેથી’. હિન્દુ-મુસ્લિમ બંને સંસ્કૃતિઓના તત્ત્વજ્ઞાનથી છલકાતી આ કથાઓ ભાવકોને અધ્યાત્મરસથી તરબતર તો કરે જ છે સાથે બંનેની સામ્યતાને ઉજાગર કરે છે.

Product Details

  • Pages:208 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All