શ્રી ભાણદેવજી
માનવી સતત કશાકની શોધમાં રત રહેતો હોય છે. ક્યારેક પ્રેમ અને સૌંદર્ય, ક્યારેક જ્ઞાન અને શક્તિ, ક્યારેક આનંદ અને શાંતિ તો ક્યારેક અમરત્વ અને સાર્થક્ય. આત્માની પ્રાપ્તિનો આ માર્ગ એટલે અધ્યાત્મ માર્ગ.
₹275.00
જન્મ સાથે શરૂ થતી જીવનની યાત્રા મૃત્યુ સાથે પૂરી થાય છે, પરંતુ મૃત્યુ તો માત્ર વિરામ છે.આત્માની યાત્રા તો અવિરત ચાલતી રહે છે.આ યાત્રા ત્યારે પૂરી થાય જ્યારે જીવ પોતાના મૂળ સ્વરૂપ એટલે કે આત્માને જાણી શકે.આત્માને જાણવાની આ યાત્રા એટલે અધ્યાત્મવિદ્યા.
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
ગુજરાતી ભાષામાં આ પ્રકારનું સર્વપ્રથમ પ્રકાશન છે. કોઈપણ પાનું ખોલીને તમે વાંચશો તો પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાક્ય તમને તમારી ભીતરની દુનિયામાં લઈ જતું લાગશે. આ કાવ્યો મારી દાયકાઓની ઉપાસનાની જિંદગીનો નીચોડ છે.
₹500.00
ભાણદેવજીએ પ્રાકૃતિક સૌંદર્યનું સ્વર્ગ ગણાતા હિમાલયની ૨૪ યાત્રાઓ કરી છે અને પોતાના અલૌકિક અનુભવોને ૧૮ પુસ્તકોમાં આલેખ્યા છે. આટલું ઓછું હોય એમ પોતાના ૧૯મા પુસ્તકમાં હિમાલયનાં કેટલાંક ગહન અને ગુપ્ત સ્થાનોને ઉજાગર કરે છે.
₹300.00
ત્રૈલોક્યમંડનવિજયજી મહારાજ
ધર્મ એ જીવન જીવવાની એક એવી કળા છે કે જે તમને અંદરથી મજબૂત, સંવેદનશીલ અને જાગૃત બનાવે છે. ધર્મ માનવાનો વિષય નથી, ધર્મ જીવવાનો ઉત્સવ છે. અને જો તમે એ કળા શીખી ગયા, તો આ યુગના બધા પડકારો તમારા માટે અવસર બની જશે.
₹325.00
હિમાલયની પર્વતમાળામાં પ્રકૃતિના ખોળે વસેલું તિબેટ એક રહસ્યમય પ્રદેશ છે.રહસ્યો ધર્મનાં, અધ્યાત્મનાં, તંત્રવિદ્યાનાં. આવાં રહસ્યોનો તાગ મેળવવા શ્રી ભાણદેવજી તિબેટનો પ્રવાસ ખેડે છે પણ એટલેથી તૃપ્ત ન થતાં પુસ્તકો ફળશ્રુતિરૂપે આપણને સાંપડ્યું છે આ પુસ્તક.
₹225.00
વેદો, ઉપનિષદો અને શાસ્ત્રોના નિચોડસમું આ પુસ્તક ધર્મ અને અધ્યાત્મ પથ પર ચાલી વિવિધ સાધના દ્વારા પરમચૈતન્યને પામવા ઉત્સુક અને જિજ્ઞાસુજનો માટે સહાયરૂપ બનશે. ધર્મ અને અધ્યાત્મ ભારતીય સંસ્કૃતિ અને દર્શનવિદ્યાના બે પાયા છે.
અંકિત ત્રિવેદી
ઇન્ટરનેટ અને ઈ-મેઇલના યુગમાં જ્યાં પત્ર લખવાનો રિવાજ નામશેષ થઈ ગયો છે એવા સમયમાં કવિ અંકિત ત્રિવેદી પોતાની શ્રદ્ધાળુ અને સંવેદનશીલ કલમે લખે છે પ્રભુને પત્રો. ક્યાંક પ્રાર્થના, ક્યાંક વિનંતી, ક્યાંક ફરિયાદ અને ક્યાંક આભારની લાગણી... શ્રદ્ધાના પથ પર
ઈશ્વર એક છે, પરંતુ તેને પામવાના રસ્તા અનેક. એમાંનો એક રસ્તો એટલે ભક્તિ. ભક્તિની સરળ વ્યાખ્યા એટલે પરમાત્મા પ્રત્યે પરમપ્રીતિ. તેમ છતાં વિવિધ સંપ્રદાયો દ્વારા ભક્તિના વિવિધ માર્ગ પ્રશસ્ત કરવામાં આવ્યા છે.
નિરંજન રાજ્યગુરુ
ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ રજૂ કરતુ આ પુસ્તક તેના ઉદ્ભવથી લઈને વિકાસની વાત કરે છે. ઉપાસનાની પદ્ધતિઓ સાથે આપણા મહાન ધર્મગ્રંથોના સારને દુહા, છંદો, ચોપાઈઓ, કવિતાઓ, ભજનોના સ્વરૂપે આપણા સુધી પહોંચાડનાર સંતો અને કલાકારોથી પરિચિત કરાવે છે.
સરોજિની જિતેન્દ્ર (ડૉ.)
પરમાત્મા અને આત્મા, તન અને મન, જીવન, મૃત્યુ અને મોક્ષ જેવા વિષયોએ આદિકાળથી માનવીની જિજ્ઞાસાને જીવંત રાખી છે. દરેક યુગમાં દરેક સમયે આ તત્ત્વોને વિવિધ દૃષ્ટિકોણ અને પદ્ધતિઓથી જાણવા અને પામવાના પ્રયત્નો થતા રહ્યા છે.
શુચિતા દિવેટિયા મહેતા
શ્રીરૂપગોસ્વામી દ્વારા સંકલિત શ્રીભક્તિરસામૃતસિન્ધુ ગૌડીય વૈષ્ણવ પરંપરામાં અનન્ય સ્થાન ધરાવે છે. તેટલું જ નહિ પરંતુ ભારતીય રસશાસ્ત્રના ક્ષેત્રે પણ તેનું પ્રદાન મહત્ત્વનું છે; જે શૃંગારને સ્થાને ભક્તિરસને શ્રેષ્ઠરસ તરીકે પ્રસ્થાપિત કરે છે જે
₹750.00
મકરંદ મૂસળે
રાષ્ટ્રગુરુ કહેવાયેલા સમર્થ સ્વામી રામદાસ રચિત ‘શ્રી મનાચે શ્લોક’ એટલે મરાઠી આધ્યાત્મિક સાહિત્યનું મોરપિચ્છ. મનની ભીતર રહેલાં શક્ય તેટલાં તમામ દ્વાર પર ટકોરા મારવાનું કામ શ્રી સમર્થ કર્યું છે... અને મરાઠી પદ્યરચનાઓનો ગુજરાતીમાં સમશ્લોકી ભાવાનુવાદ
₹125.00
શ્રી ભાણદેવજી શ્રીકૃષ્ણ અને ગીતાને એક જ સ્વરૂપે નિહાળે છે અને બંનેના મહિમાને આ પુસ્તકમાં સમાવી તેને સમજાવે છે. શ્રીકૃષ્ણની રહસ્યમય લીલાઓ પાછળ રહેલા ગૂઢ અર્થોને ઉજાગર કરી ‘કૃષ્ણને પામવા માટે કૃષ્ણને ચાહવા’ એ વાતનું પ્રતિપાદન કર્યું છે.
રામકથાનું સ્વરૂપ ગહન અને અદ્ભુત છે જેને અનેક દૃષ્ટિથી જોઈ, જાણી અને સમજી શકાય છે. આ પુસ્તકમાં રજૂ કરવામાં આવેલા દૃષ્ટિકોણ માટે વાલ્મીકિ રામાયણ અને શ્રી રામચરિતમાનસને આધારરૂપ ગણવામાં આવ્યાં છે.
પૌરાણિક શાસ્ત્રોમાંના એક એવા બ્રહ્માંડપુરાણના ઉત્તરાર્ધમાં શ્રી લલિતા-આખ્યાન (ललितोपाख्यानम्)ના છેલ્લા અધ્યાયોના કુલ 320 શ્લોકોમાં સ્તોત્ર શિરોમણિ એવું ઉત્તમ શ્રીલલિતાસહસ્રનામ્ સ્તોત્રના કુલ 18212 શ્લોક આવેલા છે.
₹600.00
ટ્રેનમાં જેમ સંકટ સમયે ખેંચવાની સાંકળ મૂકવામાં આવે છે તેમ રમરમાટ વહેતા જીવનમાં સંકટ ઊભું થાય ત્યારે શું કરવાનું? પ્રાર્થના કરવાની ઈશ્વરને યાદ કરવાનો.પ્રત્યેક વિભાગનો પ્રારંભ ટૂંકા ચિંતનાત્મક લખાણથી થાય છે ને પછી ક્રમશઃ પ્રાર્થનાઓ વહેવા માંડે છે.
₹200.00