શ્રી ભાણદેવજી
અધ્યાત્મ, યોગ, ધર્મ અને પ્રવાસ જેવા વિષયો પર અઢળક સાહિત્ય પીરસનાર શ્રી ભાણદેવજી મહાભારતના અભૂતપૂર્વ પાત્ર દેવવ્રતના જીવનચરિત્રને આપણી સમક્ષ રજૂ કરે છે પોતાના પુસ્તક ‘પિતામહ ભીષ્મ’માં.
₹350.00
પ્રદીપ ખાંડવાળા
સ્વ, સંબંધો, સમાજ, સંસ્કૃતિ અને સ્વતંત્રતાની કાવ્યાત્મક સફર એટલે ‘બંધન અને મુક્તિ’. બધું પામવા છતાં પાસે કશું ન હોવાનો અહેસાસ અને બધી રીતે સ્વતંત્ર હોવા છતાં મુક્તિ પામવાનો તલસાટ પ્રદીપભાઈનાં કાવ્યોનો મુખ્ય સૂર છે.
₹275.00
વંદના શાન્તુ-ઇન્દુ
કીડીની સૂક્ષ્મ દુનિયામાં પોતાની કલ્પનાઓના લેન્સથી ઝૂમ-ઇન કરે છે લેખિકા વંદનાબહેન અને સર્જે છે બાળવાર્તાસંગ્રહ ‘અળવીતરી કીડીબાઈ’. કીડીબાઈનાં અવનવાં સાહસો અને વંદનાબહેનની અવનવી કલ્પનાઓ બાળકોને પોતાના આગવા કલ્પનાવિશ્વમાં રાચતાં કરી દેશે.
₹150.00
હસમુખ કે. રાવલ
શબ્દોનાં કોડિયાં અને સંવેદનોની જ્યોતથી ભાવોનું અજવાળું પાથરતો કાવ્યસંગ્રહ એટલે હસમુખભાઈ રાવલનો અછાંદસ કાવ્યસંગ્રહ ‘અજવાળાં લ્યો અજવાળાં’.
₹200.00
કાનજી પટેલ
આદિવાસીઓ અને વિમુક્ત, વિચરતી જનજાતિઓના અંધકારભર્યા જીવન અને તેમની પીડાને વાર્તાઓના સ્વરૂપે આપણી સમક્ષ મૂકાઈ રહ્યા છે વાર્તાસંગ્રહ ‘ડેરો’ દ્વારા.
₹325.00
રઇશ મનિઆર
ગુલઝારજીની નજાકતભરી કવિતાઓમાં પ્રિયપાત્રના મિલનથી જુદાઈ અને આગમનથી વિદાય સુધીની વિવિધ પળો ઝીલાતી હોય છે. આ કવિતાઓનો રઈશ મનીઆરે કરેલો ગુજરાતી અનુવાદ એટલે 'બંધ કાચની પેલે પાર'.
₹300.00
ગુલઝારસાહેબ લિખિત હિન્દી પુસ્તક ‘મિર્ઝા ગાલિબ – એક સ્વાનહી મંઝરનામા’નો રઈશભાઈ મનીઆર દ્વારા થયેલો ગુજરાતી અનુવાદ ‘મિર્ઝા ગાલિબ – એક વીતક એક કથાનક’.
₹600.00
₹500.00