રમણીક સોમેશ્વર
અંતરના ઊંડાણમાં પડેલા ભાવોની તીવ્રતા વિવિધ ભૌતિક પ્રતીકોના સહારે શ્રી રમણીકભાઈ આ અછાંદસ કાવ્યોના માધ્યમથી અભિવ્યક્ત કરે છે. આજના સમયની વિડંબણા અને મૂંઝારાને વાચા આપતાં આ કાવ્યો રસિકોને અનોખા ભાવજગતની સેર કરાવશે.
₹225.00
નીલેશ કાથડ
પોતાની નિવૃત્તિ સુધીની જીવનયાત્રા બયાન કરતી નીલેશભાઈની આ આત્મકથા માત્ર સંસ્મરણો અને સુખદ પ્રસંગોનું ભાથું નથી, પરંતુ એક દલિત તરીકે આજીવન વેઠેલી વેદનાનો દસ્તાવેજ પણ છે, જે સામાજિક દંભનો પર્દાફાશ કરી હૃદય વલોવી નાખે છે.
₹450.00
રાની ચંદ
અવનીન્દ્રનાથના વ્યક્તિત્વને જીવંત કરતું આ પુસ્તક માત્ર તેમનું સ્મરણ ન બની રહેતા એક દાર્શનિક અને કલાત્મક સફર પર લઈ જાય છે જે કલાપ્રેમીઓ અને વાચકો માટે પ્રેરણાદાયી બની રહે છે.
₹375.00
મધુ રાય
અસંખ્ય ગુજરાતી વાચકોના લોકપ્રિય સર્જક મધુ રાયની તમામ વાર્તાઓ હવે એકસાથે માણવાનો અવસર એટલે તેમના બે ભાગમાં પ્રસ્તુત થતા વાર્તાસંગ્રહો– ‘એક હતો રાજા’ અને ‘એની માનીતી રાણી’.
₹650.00
₹525.00
જિગર જોષી 'પ્રેમ'
પ્રણય, પીડા, પ્રકૃતિ, જીવન વિશેના પ્રશ્નો, ભીતરનો મૂંઝારો, ખાલીપો, દુનિયાની વ્યાવહારિકતા, બુઠ્ઠી થઈ ગયેલી સંવેદનાઓ જેવા ભાવોને સાંકળી લેતી જિગરભાઈની ગઝલો દરેક વાચકને જીવનની વણઉકેલાયેલી લિપિ ઉકેલવામાં મદદ કરશે.
₹250.00
પુષ્પા અંતાણી
આપણી માતૃભાષા ગુજરાતીમાં કહેવાયેલી આ રંગીન સચિત્ર વાર્તાઓ બાળકોને વાંચવાની તો મજા આવશે જ, સાથે દરેક વાર્તા સાથે છપાયેલો QR કોડ સ્કેન કરી પોતાની મનગમતા ડિવાઇસ પર આ વાર્તાઓ સાંભળી પણ શકશે.
₹175.00
મનીષા રાઠોડ
પ્રેરક પ્રસંગો અને ઘટનાઓ દ્વારા જીવનની મૂંઝવણને ઉકેલી તેને સમજવા માટેનો રસ્તો બતાવતું આ પુસ્તક દરેક વાચકને સ્પર્શી જઈ જીવનનો હેતુ સિદ્ધ કરવામાં મદદ કરશે.
₹300.00