નિમિત્ત ઓઝા (ડૉ.)
ઝેન બુદ્ધિઝમમાં રોશીનો અર્થ ગુરુ થાય. એક એવા શિક્ષક જે પીઢ અને આદરણીય હોય. રોશી એટલે એક એવા માર્ગદર્શક જે પોતાની વિદ્વત્તા અને સમજણથી શિષ્યને આત્મજ્ઞાન સુધી લઈ જાય. એવી જ કોઈ યાત્રા દર્શાવતી આ કથા ખોટથી ખુમારી સુધીની છે.
₹450.00
ધીરુબહેન પટેલ
વિભિન્ન વાણી, વર્તન અને સ્વભાવ ધરાવતા અસંખ્ય મનુષ્યોમાં ઈશ્વરે કોઈક ખૂણે રમૂજ પણ મૂકી હોય છે. આ રમૂજને ધીરુબહેન પટેલની નજર શોધી લે છે અને સર્જાય છે હાસ્યરસથી ભરપૂર નવલકથા `એક ફૂલગુલાબી વાત'.
₹300.00
પુષ્પા અંતાણી
બાળવાર્તાનાં જાણીતાં લેખિકા પુષ્પાબહેન અંતાણી એમની નવીનકોર આઠ વાર્તાઓની પાંખે તમને પ્રાણી, પક્ષી, પરીઓની જુદી જ દુનિયાની સફરે લઈ જવા આવ્યાં છે. તો ચાલો, તમે પણ તૈયાર થઈ જાઓ ‘વાર્તાની પાંખે’ ઊડતાં ઊડતાં મજા કરવા.
₹175.00
શ્રી ભાણદેવજી
અધ્યાત્મ, યોગ, ધર્મ અને પ્રવાસ જેવા વિષયો પર અઢળક સાહિત્ય પીરસનાર શ્રી ભાણદેવજી મહાભારતના અભૂતપૂર્વ પાત્ર દેવવ્રતના જીવનચરિત્રને આપણી સમક્ષ રજૂ કરે છે પોતાના પુસ્તક ‘પિતામહ ભીષ્મ’માં.
₹350.00
પ્રદીપ ખાંડવાળા
સ્વ, સંબંધો, સમાજ, સંસ્કૃતિ અને સ્વતંત્રતાની કાવ્યાત્મક સફર એટલે ‘બંધન અને મુક્તિ’. બધું પામવા છતાં પાસે કશું ન હોવાનો અહેસાસ અને બધી રીતે સ્વતંત્ર હોવા છતાં મુક્તિ પામવાનો તલસાટ પ્રદીપભાઈનાં કાવ્યોનો મુખ્ય સૂર છે.
₹275.00
વંદના શાન્તુ-ઇન્દુ
કીડીની સૂક્ષ્મ દુનિયામાં પોતાની કલ્પનાઓના લેન્સથી ઝૂમ-ઇન કરે છે લેખિકા વંદનાબહેન અને સર્જે છે બાળવાર્તાસંગ્રહ ‘અળવીતરી કીડીબાઈ’. કીડીબાઈનાં અવનવાં સાહસો અને વંદનાબહેનની અવનવી કલ્પનાઓ બાળકોને પોતાના આગવા કલ્પનાવિશ્વમાં રાચતાં કરી દેશે.
₹150.00
હસમુખ કે. રાવલ
શબ્દોનાં કોડિયાં અને સંવેદનોની જ્યોતથી ભાવોનું અજવાળું પાથરતો કાવ્યસંગ્રહ એટલે હસમુખભાઈ રાવલનો અછાંદસ કાવ્યસંગ્રહ ‘અજવાળાં લ્યો અજવાળાં’.
₹200.00
કાનજી પટેલ
આદિવાસીઓ અને વિમુક્ત, વિચરતી જનજાતિઓના અંધકારભર્યા જીવન અને તેમની પીડાને વાર્તાઓના સ્વરૂપે આપણી સમક્ષ મૂકાઈ રહ્યા છે વાર્તાસંગ્રહ ‘ડેરો’ દ્વારા.
₹325.00