આર. ડી. પટેલ
સતત બદલાતી દુનિયા અને એ બદલાવ સાથે તાલ મિલાવતો આજનો માનવી. બદલાતી સંસ્કૃતિ, રીતિ-રિવાજો, બદલાતા સંબંધોની વચ્ચે ભૌતિક રીતે સમૃદ્ધ માનવી પોતાની જાતને એકલો અનુભવે છે. બધું જ મેળવવા રઘવાયો બનેલો માનવી બધું મેળવ્યા બાદ અંતે અધૂરો રહી જાય છે.
₹300.00
દર્શા કિકાણી
શાળાઓમાં વાર્તાલેખનને પ્રોત્સાહન આપવાના હેતુથી છેલ્લાં નવ વર્ષથી યોજાતી સ્પર્ધા એટલે વાર્તામેળો. આ સ્પર્ધાના અંતે પ્રાપ્ત થયેલી વિજેતા વાર્તાઓનો સંગ્રહ એટલે ઝેન ઓપસ દ્વારા પ્રસ્તુત દર્શાબહેન કિકાણી સંપાદિત પુસ્તક ‘વાર્તામેળો’.
₹200.00
હસમુખ કે. રાવલ
કહેવાય છે કે સમાજનો આયનો એટલે વાર્તા. પરંતુ હસમુખભાઈ રાવલની વાર્તાઓમાં સમાજમાં બનતી ઘટનાઓ અને પ્રસંગોની સાથે મનુષ્યના અંતરમનમાં ચાલતા ભાવવિશ્વનું પ્રતિબિંબ ઝિલાતું જોવા મળે છે. આંતર-બાહ્ય જગતમાં ડોકિયું કરાવતી આ વાર્તાઓ દરેક વાચકને સ્પર્શી જશે.
₹275.00
શ્રી ભાણદેવજી
જન્મ સાથે શરૂ થતી જીવનની યાત્રા મૃત્યુ સાથે પૂરી થાય છે, પરંતુ મૃત્યુ તો માત્ર વિરામ છે.આત્માની યાત્રા તો અવિરત ચાલતી રહે છે.આ યાત્રા ત્યારે પૂરી થાય જ્યારે જીવ પોતાના મૂળ સ્વરૂપ એટલે કે આત્માને જાણી શકે.આત્માને જાણવાની આ યાત્રા એટલે અધ્યાત્મવિદ્યા.
હસમુખ ટાંક
ક્ષણેક્ષણ અનિશ્ચિતતાથી ભરેલા જીવનમાં સ્વસ્થતાથી જીવવાની જડીબુટ્ટી એટલે ‘સમજણ’, સુખમાં છકી ન જવાની અને દુઃખમાં ભાંગી ન પડવાની ચાવી એટલે સમજણ અને આ સમજણ કેળવવાની સમજણ આપતું પુસ્તક એટલે ‘સમજણની સૂરજબારી’.
₹350.00
ધીરુબહેન પટેલ
ચરોતરના ગામમાં વસતો એક હસતો-રમતો ખેડૂત પરિવાર. ઢળતી ઉંમરે પિતાની નિવૃત્તિ બાદ જ્યેષ્ઠ પુત્ર ખેતર અને ઘરની જવાબદારીઓ ઉપાડી લઈ પિતાનો આજ્ઞાંકિત પુત્ર બને છે. તેની પારિવારિક નિષ્ઠા, સમર્પણ અને સત્યપરાયણતાથી માત્ર પરિવાર જ નહીં.
₹450.00
ભાર્ગવી પંડયા
બોલચાલની ભાષામાં વપરાતા રદીફ અને એકંદરે ચુસ્ત કાફિયા સાથે રચાયેલી આ ગઝલોમાં ઓછા ખેડાયેલા છંદોનો સુંદર ઉપયોગ જોવા મળે છે, જે ગઝલોને અનોખો લય અને નાદ બક્ષે છે. સરળ-સહજ બાનીમાં ગઝલતત્ત્વ જન્માવતી આ ગઝલો આજના ગઝલકથનમાં આગવો પડઘો પાડે છે.
₹175.00
શ્રદ્ધા ભટ્ટ
સંબંધોના મહાસાગરમાં જીવતા મનુષ્યના મનોજગતમાં ભાવોની અનેક ભરતી અને ઓટ આવતી હોય છે. આવા જ અકથ્ય ભાવોની ભરતી અને ઓટને શ્રદ્ધાબહેને ટૂંકી વાર્તાનું સ્વરૂપ આપ્યું છે. વાર્તાનાં પાત્રો ખૂબ સામાન્ય છે જે આપણી આસપાસ જ જીવતાં હોય છે.