પાર્થ માંકડ ડૉ.
સ્વાસ્થ્ય એટલે માત્ર શારીરિક સ્વસ્થતા નહીં,પરંતુ માનસિક અને આત્મીય ઊર્જાનું સમસ્થિતિમાં હોવું,રોગનાં કારણ માત્ર બાહ્ય નહીં,પરંતુ આંતરિક પણ હોઈ શકે છે પાયાની સમજણ સાથે શરૂ થતું આ પુસ્તક હોમિયોપથીના સિદ્ધાંતોને સરળ અને સહજ ભાષામાં રજૂ કરે છે.
₹200.00
Dr. Neha Tank Modha Nilkanth Maradia
Ananta Radiance opens the treasure of timeless wisdom of ancient Ayurveda. It connects our body and mind with our soul and brings back the natural rhythms of life.
₹500.00
આર. ડી. પટેલ
21મી સદીના આધુનિક યુગમાં પ્રવેશેલો માનવી અત્યાધુનિક ટૅક્નૉલૉજી સાથે પ્રગતિનાં અવનવાં સોપાનો સર કરી રહ્યો છે. બહારથી પ્રગતિશીલ અને સંપન્ન જણાતો આ માનવી ભીતરથી ખાલી અને ગૂંચવાયેલો છે.
₹275.00
સતત બદલાતી દુનિયા અને એ બદલાવ સાથે તાલ મિલાવતો આજનો માનવી. બદલાતી સંસ્કૃતિ, રીતિ-રિવાજો, બદલાતા સંબંધોની વચ્ચે ભૌતિક રીતે સમૃદ્ધ માનવી પોતાની જાતને એકલો અનુભવે છે. બધું જ મેળવવા રઘવાયો બનેલો માનવી બધું મેળવ્યા બાદ અંતે અધૂરો રહી જાય છે.
₹300.00
કેતન કારિયા
• પ્રેમ એટલે શું? • પ્રેમ એટલે એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ? • જે પૂરી થાય તો મજા અને ન થાય તો સજા? • શું પ્રેમ કરવો આસાન છે, પરંતુ નિભાવવો મુશ્કેલ? • પ્રેમમાં માલિકીભાવ આવે ત્યારે શું થાય?
મૃગેશ વૈષ્ણવ (ડૉ.)
સફળતાનો કોઈ વિકલ્પ નથી હોતો અને નિષ્ફળતા પણ કાયમી હોતી નથી એટલે જ ‘જીત કે હાર કરો સ્વીકાર’. વિશ્વની મહાન વ્યક્તિઓના સંઘર્ષની ગાથા બયાન કરતું આ પુસ્તક વાચકને સફળતા તરફ જવાની દિશામાં પ્રેરિત કરશે.
₹375.00
આ પુસ્તક પ્રત્યેક વ્યક્તિ દ્વારા અનુભવાતી હતાશાની સામાન્ય લાગણી અને ડીપ્રેશન મનોરોગ વચ્ચેની ભેદરેખા સમજાવે છે. તમારા આંતર મનની વેદના શારીરિક રોગનાં લક્ષણો રૂપે વ્યક્ત થતી હોય ત્યારે તમારા ડિપ્રેશનને કેવી રીતે ઓળખવું?
Hemant Antani
Ambition, Communication, Envy. There are many facets that reflect upon our life at large. These facets have inspired Dr. Hemant Antani to understand the multifaceted nature of human existence.
નિમિત્ત ઓઝા (ડૉ.)
પ્રિય સેલ્ફ પુસ્તકોનું પુસ્તક છે. આ પુસ્તકના દરેક લેખ પાછળનો એક માત્ર ઉદેશ્ય આત્મોદ્ધાર છે. જે મને ગમ્યું છે, એ તમને પણ ગમશે. જે મને ઉપયોગી નીવડ્યું છે, એ તમને પણ ઉપયોગમાં આવશે એવી શ્રદ્ધા અને આશા સાથે આ પુસ્તકનું નિર્માણ થયું છે.
સંજોગો અને સમીકરણોમા ગૂંચવાતા જીવનની અનેક પરિસ્થિતિઓની તાર્કિક નિષ્કર્ષ સાથે છણાવટ કરતું આ પુસ્તક વાચકને કશુંક નવું વિચારવાની દિશા પૂરી પાડે છે.
₹350.00
આજીવન ઇચ્છાઓ, લાલસાઓ અને લાગણીઓમાં પરવાયેલા અને અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેલા મનને અચાનક પાછું વાળવું સરળ નથી,પરંતુ અશક્ય નથી.આટોપી લેવાથી જીવનનો ભાર હળવો થાય છે અને જીવવું ઉત્સવ બની જાય છે.આ પુસ્તક વાંચી આપનું મન પણ જરૂર કહેશે ચાલ મન આટોપી લઈએ.
₹225.00
દુરાગ્રહ... હઠાગ્રહ... સત્યાગ્રહ જેવા શબ્દોથી તો આપણે પરિચિત છીએ, પણ સ્વાગ્રહ એટલે શું એ તમે જાણો છો? પોતાના આગ્રહ પ્રમાણે જીવન જીવવું એ સ્વાગ્રહ અને સ્વાગ્રહ પ્રમાણે જીવનાર સ્વાગ્રહી.
₹325.00
આ પુસ્તકમાં એવા લોકોની વાત કરવામાં આવી છે, જેમને આપણે રોજ મળીએ છીએ. જેમનાં ભાષણો આપણે સાંભળીએ છીએ, જેમની કોઈ કાબેલિયત પાછળ આપણે તેમના ઉપર વારી જઈએ છીએ, જેઓ આપણા ઘરની ડિઝાઇન બનાવે છે, જેમણે સારાં કાવ્યો કે ચિત્રો બનાવ્યાં છે.
₹450.00
કાજલ ઓઝા વૈદ્ય
નાની નાની વસ્તુઓમાં ઊભા થતા ઝઘડા, અપેક્ષાઓ, શંકાકુશંકા અને બીજી કેટલીયે સમસ્યાઓ લગ્નજીવનને તહસનહસ કરી નાંખે છે. સપ્તપદીના સાત મંત્રો જે એકબીજાંનો હાથ પકડીને બોલાયા હોય છે એમાંનું કશુંય માણસને યાદ રહેતું નથી.
પોતાના પરિવાર, માતા-પિતા, સંતાનો અને પત્ની વચ્ચે સંતુલન જાળવતાં જાળવતાં મોટાભાગના પુરુષો થાકી જતા હોય છે. ડાયાબિટીસ, હૃદય રોગ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની બિમારીની સાથે સાથે ખરતા વાળ અને હાઈપર ટેન્શન કદાચ એટલા માટે થાય છે.
જીવતી જિંદગી સાથે અલિપ્ત રહેવાની વાત.
₹125.00
Vivek Kane
Are you a new entrepreneur looking to build a new team and lead it to success? Are you identified as a future leader and are in the leadership pipeline? If the answer to any of these is ‘yes’, here is a book ‘ESOL’,
₹600.00
Ketan Karia
This book offers a thorough insight into LOVE. Irrespective of the type of reader you are, you will LOVE this one for sure. LET LOVE WORK, let this book work for you – from within to without. The book is divided into 3 sections!
સફળ દરેકને બનવું હોય છે પણ સફળતાની ચાવી શું?
આ સમગ્ર પુસ્તકનો એકમાત્ર હેતુ ‘ગ્રોથ’ છે. ઈમોશનલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ- એટલે કે ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસ. કારણ કે વિકસતા રહેવું, એ મનુષ્યની પ્રકૃતિ છે. જે ક્ષણે મનુષ્ય વાચવાનું, શીખવાનું કે વિકસવાનું બંધ કરી દે છે.
કલ્પના પાલખીવાલા
સમાચારની દુનિયામાં કામ કરવા માગતા યુવાનો અને એ દુનિયાના તમામ પાસાં જોવા-સમજવા માગતા સામાન્ય જન માટે આ પુસ્તક ઉપયોગી થઈ પડશે.આકાશવાણીમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે સમાચારવાચક-સહ-ભાષાંતરકાર અને પાછળથી કોરસ્પોન્ડન્ટ તરીકેના જાત-અનુભવનો આમાં નીચોડ છે.
લગ્ન– એક એવો સંબંધ જે ઋગ્વેદથી શરૂ થઈ ને બાવીસમી સદી સુધી અપગ્રેડ થતો રહ્યો. સમય સાથે લગ્નની વ્યાખ્યા અને વ્યવસ્થા બદલાતી રહી છે, પણ સુખ અને સહજીવનની basic જરૂરિયાત હતી અને છે જ. બે જુદી વ્યક્તિ, જુદો ઉછેર, જુદાં શિક્ષણ, માનસિકતા અને ઇગો.
આધ્યાત્મિક બનવાની વાતને રોજબરોજના જીવન સાથે સંબંધ છે. ધાર્મિક રીતરિવાજ કે ક્રિયાકાંડને આધ્યાત્મિકતા સાથે કોઈ સંબંધ નથી. બધાના રીતરિવાજ અને ક્રિયાકાંડ સરખા નથી.
મારી સંસ્કૃતિ ભૂંસાતી ચાલી પુસ્તક બે સંસ્કૃતિઓની ખાસિયતોને ધ્યાનમાં રાખી,એક સંસ્કૃતિને સમજી,સ્વીકારીને હતાશાઓ અને ચિંતાઓના ઉકેલ તરફ આંગળી ચિંધે છે.ભારતીય સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિ સાચવવાની બાબતમાં ચિંતિત એવાં સૌ ગુજરાતી ભાઈબહેનો માટે ઉપયોગી પુસ્તક.
₹175.00
પરિવર્તન જીવનનો મહત્ત્વનો ભાગ છે. પરંતુ જે ઝડપે બધું બદલાઈ રહ્યું છે, બિહામણું લાગે છે. જીવવાની શૈલી બદલાઈ ગઈ. સંબંધોની ભાત બદલાઈ ગઈ. મૂલ્યો પણ બદલાયાં. કુદરતી પરિબળો પણ બદલાયાં. માણસ કુદરતની સામે બાંયો ચઢાવી રહ્યો છે!
રોજબરોજનું જીવન અનેક દબાણ, ભાર અને ચિંતાઓથી ભરપૂર છે. દરરોજ અનેક સરહદો પર લડવાનું થાય છે. 'એક સાંધે ત્યાં તેર તૂટે છે,' એ પરિસ્થિતિમાં જીવનનું સમતોલપણું લગભગ અશક્ય લાગે.
₹335.00
પરેશ ભટ્ટ
સાંપ્રત સમયની તણાવયુક્ત અને બેઠાડું જીવનશૈલી, અને તાજેતરની કોરોનાની મહામારીએ સહુને ફરી યોગનું મહત્ત્વ યાદ દેવડાવ્યું છે. પરંતુ મન, બુદ્ધિ અને બળના વિકાસ માટે અષ્ટાંગયોગ સિવાય કોઈ રસ્તો નથી.
લેખક કે ચિંતક હોવાનો દાવો નહીં કરતા અમેરિકાસ્થિત લેખકનું મનોવિશ્લેષણાત્મક નિબંધોનું આ પુસ્તક જેટલું જીવનોપકારક છે એટલું જ સમાજ અને સમજ બંનેને ઉપકારક છે. પુસ્તકમાં વિભાગવાર કુલ 31 ચિંતનાત્મક નિબંધો છે.
‘મને...’ શ્રેણીનું મનોવિશ્લેષક નિબંધોનું આ ત્રીજું પુસ્તક ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. પહેલા વિભાગમાં 12, બીજામાં 13 અને ત્રીજા વિભાગમાં શીર્ષક નિબંધનો સમાવેશ થયો છે.
₹250.00
આ પુસ્તકના છ વિભાગમાં 31 પ્રેરક મનોવિશ્લેષક નિબંધો છે. લેખકે અમેરિકામાં રહીને ત્યાંની જીવનશૈલીનો ઘણો અનુભવ કર્યો હોવાથી એમનાં નિરીક્ષણો વિચારપ્રેરક બન્યાં છે.
શું આજે આપણે અજંપામાં જીવન જીવીએ છીએ એનું એક મોટું કારણ એ નથી કે આપણે સતત સુખનું કાયમી સરનામું શોધવા માટે ફાંફાં મારતા રહીએ છીએ? આ સરનામું ન મળે ત્યારે આપણી સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે.
ઝપાટાભેર બદલાતા જતા જમાનામાં શું નીતિમૂલ્યો અપ્રસ્તુત બની રહ્યાં છે યા તો બની ચૂક્યાં છે? આર. ડી. પટેલ લિખિત સેલ્ફ-હેલ્પ શૈલીના આ પુસ્તકમાં કુલ 29 લેખો છે, જે વાચકને સત્ત્વશીલ વિચારભાથું પૂરું પાડે છે.
માણસ સંબંધો વગર જીવી શકતો નથી. પ્રારંભ પોતાની જાત સાથેના સંબંધથી થાય છે. પછી માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની-સંતાનો, પૌત્ર-પૌત્રીઓ, પડોશીઓ અને મિત્રો-પ્રિયજનો સાથેના સંબંધો આવે છે.
પુસ્તકનું આખું શીર્ષક છે, ‘કશું જ મારા હાથમાં નથી તોયે લાઇફ ઓકે’. આ શીર્ષક જ પુસ્તકમાં સગ્રહાયેલા 21 લેખોની તાસીર સ્પષ્ટ કરી આપે છે. લેખો રોજ-બ-રોજના જીવનમાં પેદા થતી પરિસ્થિતિઓને વાસ્તવિક તેમજ વ્યવહારુ રીતે મૂલવતાં શીખવે છે.
₹265.00