Kaajal Oza Vaidya
Can one person love two different people with the same fervour and passion? Is love something that needs to be bound and restrained? Or something that needs to be embraced and celebrated?
₹399.00
Prakash Trivedi - Nina Sanghavi
A couple, who were 'Made for Each Other,' started working in the real estate sector in America and gradually scaled new heights of success.their home became a warm haven for numerous writers, musicians, and athletes.
₹400.00
We find stories about women everywhere. Starting with the epics Rāmāyan and Mahābhārat, our literature is full of female characters. Some of these women are barely mentioned by name, and especially in Rāmāyan and Mahābhārat.
₹500.00
Krishna lies under an Aswattha tree, fatally wounded by Jara’s arrow. In his final moments, he reminisces about his time in the mortal world, and the women in his life appear before him.
₹450.00
ઉત્તમ મેવાડા
‘અજવાળિયું’ એટલે કે, છાપરા કે દીવાલમાં મૂકેલું જાળિયું. છાપરા કે મકાનમાં પ્રકાશ અને પવનની આવજા થઈ શકે એ માટેનો એક માર્ગ.સામાન્ય રીતે મકાન બાંધનાર આર્કિટેક કે કારીગર દીવાલ અને ખાસ કરીને પછીત ઉપર કોઈ પહોંચી ન શકે એટલી ઊંચાઈએ નાની બારી મૂકે.
₹200.00
ધીરુબહેન પટેલ
પેઢીઓની યાદોને પોતાનામાં સમાવી ખખડધજ ઊભેલું ત્રિભુવનભવન વેણુ અને કાકા-કાકી માટે સ્વર્ગ છે. પણ શહેરમાં વ્યસ્ત ભાઈઓને તો તેને વેચીને પોતાનો ભાગ મેળવી લેવામાં રસ છે. અનેક ઉતાર-ચડાવ અને વળાંકો લેતી આ નવલકથા રસપ્રદ છે.
₹475.00
વીનેશ અંતાણી
આકસ્મિક મૃત્યુના પ્રચંડ ધડાકા પછી ચારે બાજુ વેરાયેલી અસંખ્ય કરચોની જેમ પરિવારમાં પાછળ રહી જતી વ્યક્તિઓનું જીવન વેરણછેરણ થઈ જાય છે. મૂળ ઘટનાના અનુરણનો એમના મન અને જીવનમાં પડઘાતાં રહે છે.
₹275.00
આ શ્રીધર... કોઈ પણ હોઈ શકે? ડેરાતંબુ ઉપાડતાં પહેલાં એક છેલ્લી નજર નાખી લેવાનું કોને મન ન થાય? કશુંક રહી ગયું, આડુંઅવળું મુકાઈ ગયું, સાફસૂથરું ન થયું એનો ઝીણો અજંપો લઈને જવાનું કોઈને ન ગમે. થોડોક વખત હોય તો બધું ઠીકઠાક કરી નાખવાની ઇચ્છા પણ થાય. એ
₹140.00
કેન્ટ હારુફની વિશ્વપ્રસિદ્ધ નવલકથા ‘Our Souls At Night’નો વીનેશ અંતાણી દ્વારા થયેલો ગુજરાતી અનુવાદ ‘અમારી રાતોનો ઉજાસ’. સિત્તેર વર્ષની આસપાસ પહોંચેલાં બે એકાકી વૃદ્ધોને પોતાની એકલતા સતાવે છે.
₹325.00
ચરણ ચાલ્યા કરે ગંતવ્ય સ્થાન દૂર જતું જાય થાક લાગી શકે પણ એને સ્વીકારાય નહીં બસ, ચાલવાનું ચાલતા રહેવાનું પરંતુ જેનો અંત જ ન દેખાતો હોય તે પથ પર શી રીતે ચાલવાનું? કેટલું ચાલવાનું?
₹115.00
ઈશાન: કેટલીક વાર વહેમ પડે છે કે ઈશ્વરે એક નહીં, પણ બે દુનિયા બનાવી હશે. એક આપણા જેવાને રહેવા માટે - જ્યાં આપણે સુખી થઈએ, દુઃખી થઈએ, એકબીજા જોડે લડીએ, કંઈક નાની-મોટી ગેરસમજો કરીએ અને એકબીજાનું મોં નહીં જોવાના શપથ લઈએ.
કાજલ ઓઝા વૈદ્ય
અનિશા અને કિશનની પ્રણયકથા... આ એક એવી પ્રણયકથા છે જે પરિણય સુધી નથી પહોંચતી... પરંતુ, પ્રણયનું પૂર્ણત્વ પરિણય નથી એવું સમય સાથે સમજાય છે. પ્રેમ આપણા અસ્તિત્વનો હિસ્સો નથી, આપણું સમગ્ર અસ્તિત્વ જ પ્રેમ છે.
₹650.00
ડૉ. શ્યામા મજુમદારની હૉસ્પિટલમાં અડધી રાતે એક ઘવાયેલો દર્દી આવે છે. એનો ચહેરો જોઈને શ્યામાનો ભૂતકાળ કોઈ છંછેડાયેલા નાગની જેમ ફેણ ઉઠાવે છે. દર્દીને મારી નાખવો કે જિવાડવો એ ફક્ત શ્યામાના નિર્ણય પર આધારિત છે.
₹550.00
ગાંધીજીનાં ૧૧ મહાવ્રતોની સમાજ અને દેશવાસીઓ પર ઊંડી અસર પડી અને તે આદર્શ જીવનનો માર્ગ બની ગયાં. દાંડીના દરિયાકિનારે ગાંધીવાદી સજ્જન પોતાના પૌત્રને ગાંધીની વાર્તા માંડે છે જેમાં આ મહાવ્રતોનું માહાત્મ જીવંત થાય છે.
₹250.00
હારવાના, મુંઝાવાના અને મલકાવાના પ્રસંગો કોના જીવનમાં નથી આવતા? કોઈ સદ્ભાગીને સુખ મળે છે.કોઈને દુઃખ અને બાકીનાઓને જીવનની ધુળિયાવાટે એક લાંબી નીરવ દડમજલ. એમનું શું થયું તે જાણવા અને ધીરુબહેન પટેલી પ્રવાહી શૈલી માણવા સાદ્યંત વાંચવી પડે એક ડાળ મીઠી.
₹425.00
આ દુનિયા જેવી છે તેવી શું એક ભલા માણસને સહન કરી શકે? એને છેક લગી ભલો રહેવા દઈ શકે? આ દ્વંદ્વયુદ્ધમાં કોણ જીતે છે અને કોણ હારે છે તે જાણવાની ઉત્સુકતા જાગે તો આ પુસ્તક વાંચ્યે જ છૂટકો!
₹125.00
એક પુરુષને પ્રેમ કરતી છોકરીને જ્યારે બીજા પુરુષ સાથે પરણવાની ફરજ પાડવામાં આવે ત્યારે એ જેને પ્રેમ કરે છે તે પુરુષને એ ભૂલી ન શકે તો એક સમયે એને ‘રાધા’ કહીને પૂજવામાં આવે જ્યારે બીજા સમયમાં એને બેવફા, ચાલુ કે સ્લટ કહીને ઉતારી પાડવામાં આવે!
₹600.00
ખલિલ ધનતેજવી
રજૂ કરીએ છીએ ખલીલતધનતેજવીસાહેબની જાણીતી નવલકથા.
મહેન્દ્ર, માધવી અને રીમાની આ કથા, પરિણય, પ્રણય અને પીડાની કથા છે. ‘એક સાંજને સરનામે’ સમયના કાગળ પર સંબંધની શાહીથી લખાયેલો એક એવો પત્ર છે જે વારંવાર પાછો ફરે છે.ક્યાંય પહોંચતો નથી! માધવી અને મહેન્દ્ર ફરિયાદ વગર, ઝઘડ્યા વગર અદ્ભુત જીવ્યાં.
એકાન્તદ્વીપ ને લેખકે નવલકથા કહી છે પરંતુ દેખીતી રીતે જ એ નવલકથા નથી. એમાં પાત્રસંખ્યા નવલિકાની સામાન્ય અપેક્ષા કરતાં પ્રમાણમાં વધારે છે અને કથાનાયક સિવાયનાં પાત્રો પણ એમાં કેન્દ્રગામી થતાં રહે છે એટલે એને નવલિકાના વર્ગમાં પણ મૂકી શકાય તેમ નથી.
₹160.00
મધુ રાય
1980નાં દાયકાનો ઉત્તરાર્ધ એટલે આજના કમ્પ્યૂટર મહાશયનો ભાંખોડિયા ભરવાનો સમય યુવા પેઢીને કદાચ ખ્યાલ નહીં હોય કે તે વખતે કમ્પ્યુટરની RAM 2 MB હતી અને હાર્ડડ્રાઈવ 20 MB. અને જો 4MB અને 40MB મળે તો ભયો ભયો.
કિરણ ઓઝા
ભારત અવકાશ કાર્યક્રમનો મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ મિશન ચક્રવ્યૂહ એકસાથે નવ ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવા જઈ રહ્યો છે કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે પરંતુ અંતિમ ઘડીએ જ મિશનના વડાના કમ્પ્યુટર સ્ક્રીન પર ખતરાની ઘંટી વાગે છે અને લૉન્ચ થઈ રહેલા યાનને રોકવા દોડે છે.
જીવનમાં સલામતી અને સમૃદ્ધિ એ બે જ સૌથી મહત્ત્વનાં છે એવું જ્યાં લગી સ્ત્રીઓ માનતી રહેશે ત્યાં લગી એમને કદી પોતે સંપૂર્ણપણે માનવ છે એવી પ્રતીતિ થવાની નથી. આ સંદેશ જીવનમાં ઉતારવો કદાચ મુશ્કેલ પડે પણ અમૂલ્ય છે અને સ્ત્રીત્વના ગૌરવની પ્રતિષ્ઠા કરનારા છે
₹175.00
ભગવાન શ્રીકૃષ્ણએ જેમને પોતાના સાવ અંગત ગણ્યા અને આખું જીવન જે સંબંધોને શ્વાસમાં ભરીને જીવ્યા તે સહુ સાથે જીવનની આખરી ક્ષણોમાં રૂબરૂ થવાય તો શું સંવાદ રચાય તેનું આબેહૂબ અને અદ્ભૂત કલ્પન એટલે કૃષ્ણાયન!
₹300.00
રજનીકુમાર પંડ્યા
શ્રી રજનીકુમાર પંડ્યાની સિદ્ધહસ્ત કલમે એક સત્યઘટના પરથી આલેખાયેલી રોચક નવલકથા.
₹350.00
₹225.00
લગભગ દોઢ દાયકાના અંતરાલ પછી ધીરુબહેન પટેલ નવલકથાલેખનક્ષેત્રે સક્રિય થયાં અને જે નવલ લખાઈ તે ‘કોશેટો અને પતંગિયું’. ઉંમરના એક પડાવે પહોંચેલી સ્ત્રીને પોતાની રીતે જીવન જીવવું હોય તો તે જીવી શકે ખરી? અને; એ એવી ઇચ્છા કરે, સ્વતંત્ર રીતે પોતાનું જીવન
ગામડાની અનેક પેઢીઓ મદારીના મોરલીવાદન અને નાગ–નાગિનના ખેલ જોઈને મોટી થઈ છે. નાગપાંચમે શહેર કે ગામડાંમાં જો મદારીનાં પગલાં ન પડે તો નાગદેવતાનાં દર્શન દુર્લભ હોય.લોકોને આધુનિક સ્વરૂપે મોરલીવાદન અને નાગિનનૃત્ય દ્વારા મનોરંજન પૂરું પાડ્યું છે.
સૌરભ ખખ્ખર
જૂનાં જમાનાનાં ધંધાઓ માત્ર નફાના ઉદ્દેશથી નહોતા ચાલતા. તેમના પાયામાં હતી નીતિમત્તા. સમય બદલાયો. પેઢીઓજૂના ધંધા વીખરાતા ગયા. સ્પર્ધાત્મક અને મૂડીવાદના સમયમાં કેટલાય જૂના વેપારીઓની પીડાને વાચા આપતી આ કથા ધંધાની મૂળ પરિભાષાને ઉજાગર કરે છે.
હિન્દી ફિલ્મોના સફળ અને દિગ્ગજ અભિનેતાનું મલેશિયાની હોટેલના સ્ટીમરૂમમાં રહસ્યમય મોત થાય છે. મીડિયાના અહેવાલો અને પોલીસની તપાસ પરથી તેનું ખૂન થયું હોવાની સંભાવના ઊપજે છે.
આ કથા નીતિ અને ધર્મને જુદાં પાડતી - સ્પષ્ટ કરતી કથા છે. અહીં, એક એવું ‘છલ’ છે, જેણે બધું જ મેળવી ચુકેલા માણસના હાથમાંથી પ્યાલો ત્યારે પાડી નાખ્યો, જ્યારે એ હોઠ સુધી પહોંચી ગયો હતો. અને, એક બધું જ ગુમાવી ચુકેલી છોકરીને જિંદગીની થાળી છલોછલ ભરી
પ્રકાશ ત્રિવેદી
પ્રકાશ ત્રિવેદી દ્વારા અમેરિકામાં રહેતા ભારતીયો પર લખાયેલી અને ૧૯૮૩માં પ્રગટ થયેલી નવલકથાએ અનેક ગુજરાતીઓને આકર્ષ્યા,જેનું પુનઃ પ્રાગટ્ય તે સમયના ગુજરાતી વિદ્યાર્થીઓની વસવાટની સંઘર્ષમય કથા સાથે તેના સંકુલ છતાં રસપ્રદ ભાવવિશ્વની સંવેદનશીલ સફર કરાવશે.
કોમલ રાઠોડ
નિવૃત્તિ બાદ પરિવાર માટે બોજ બનતા વૃદ્ધને જીવનની ઢળતી સાંજે મળે છે દરેક પળને ઉત્સવ બનાવતા મિત્રોનું ગ્રુપ. યુવાન બનતા જતા વૃદ્ધનો મિજાજ પરિવાર અને સમાજ સાંખી નથી શકતા. વરિષ્ઠ લોકોની પીડાને વાચા આપતી આ નવલકથા નવી દૃષ્ટિથી જોવાનો સંદેશ આપે છે.
નવ વર્ષની કાચી વયે પોતાની માતા ગુમાવનાર રાધિકા માટે પિતા અર્જુનકુમાર દીવાન સર્વસ્વ છે. રંગભૂમિના શિરમોર કલાકાર અર્જુનકુમાર અંગત જીવનનો ખાલીપો દૂર કરવા સુમિત્રાને બીજી પત્ની બનાવી ઘરે તો લઈ આવે છે, પરંતુ રાધિકા તેનો માતા તરીકે સ્વીકાર કરતી નથી.
₹375.00
સ્વયંને શોધવા નીકળેલી સ્ત્રીની કથા... ભારતીય સાહિત્યનું સર્વશ્રેષ્ઠ સર્જન એટલે મહાભારત... સદીઓ સુધી વિશ્વને મોહિત કરનાર આ કથાની નાયિકા એટલે દ્રૌપદી.
₹290.00
જિગર સાગર
જર્મનીની એક યુનિવર્સિટીના ક્વોન્ટમ ફિઝિક્સના પ્રોફેસર ડૉ. રંગરાજન, નોબેલ પ્રાઇઝવિજેતા છે. સમયયાત્રા કરવાની માણસની કલ્પનાને સાકાર કરતી આ નવલકથા આશ્ચર્યજનક ઘટનાઓ અને રસાળ પ્રવાહ દ્વારા અનોખો કથાપટ સર્જી વાચકોમાં કુતૂહલ જગાડી સંતોષ પમાડે છે.
જીવનમાં કેટલીક સત્યઘટના ક્યારેક નવલકથાનું બીજ બની જાય છે. બીજી વાર અમેરિકા ગઈ ત્યારે મને સાચે જ ઍરક્રાફ્ટમાં એ માણસ મળ્યો, જે ગુજરાતી ફિલ્મ બનાવવા અમેરિકાથી આવ્યો હતો. એણે મારી વાર્તા તો ખરીદી, પણ સાથે સાથે કેટલીક એવી વાતો કહી જે મારા મોરલ અને
₹875.00
વિકી ત્રિવેદી
આધુનિક સમયમાં માનવરૂપે જન્મેલી નાગિન અને ઇચ્છાધારી નાગની પ્રણયકથા આ કહાનીનો વ્યાપ માનવલોક અને નાગલોક એમ બે લોકને સમાવે છે. તેમાં નાયક અને નાયિકાના બે નહિ પણ ત્રણ જન્મના અંતરાલો છે. આ નવલકથામાં રાજાઓનો ઇતિહાસ છે, ગુલામીની બેડીઓ છે, સતરમી સદીમાં
યજ્ઞેશ દવે
ઇતિહાસના ગર્ભમાં કંઈક કેટલીયે ઘટનાઓની તવારીખ સચવાયેલી છે જેણે માનવજાત અને દુનિયા પર પોતાની દીર્ઘકાલીન અસર છોડી છે. પરંતુ આ તમામ ઘટનાઓની વચ્ચે કેટલીક ઘટનાઓએ માનવતા શબ્દના અર્થ પર પ્રશ્નાર્થ ઊભો કર્યો.
વ્યક્તિ પોતે નિર્ણય નથી કરી શકતી કે એણે ક્યાં જન્મ લેવો જોઈએ,એણે શું બનીને અવતરવું જોઈએ? જેમ માણસથી ભૂલ થાય એમ ક્યારેક સર્જનહાર પણ ગૂંચવાઈ જતો હશે.
₹950.00
અનાહિતા અને શિવાંગી. સ્ત્રીનાં બે અલગ ચહેરા.એક સંપૂર્ણપણે સમર્પિત, પ્રેમની મૂર્તિ અને બીજી, સ્વતંત્ર અને તેજમિજાજ. બેની વચ્ચે છે કરણ. શિવાંગી ચાહે છે કરણને, અને કરણ ઝંખે છે અનાહિતાને.
₹850.00
પ્રિયમ - એક હવા જેવી ખુશમિજાજ, ફૂલ જેવી મહેકતી અને શરીરમાં ફરતા લોહી જેવી ધબકતી - સાચુકલી છોકરી! આદિત્ય ભાગવત – પોતાની જિંદગીને પ્રિયમના શ્વાસથી જીવવા માંગતો, એક સફળ માણસ – એક સંનિષ્ઠ પતિ અને છતાં ક્યાંક પહોંચીને સ્ત્રીને, પત્નીને માલિક થઈને
રજનીકુમારની વાર્તાઓ એમની વાર્તા કલા તથા રસની, ચોટની દૃષ્ટિએ ગુજરાત જ નહીં, પણ ઉત્તમ બ્રિટિશ, અમેરિકી, ફ્રેંચ, રશિયન ઉત્સાદોની હરોળમાં સહેલાઈથી બેસે તેવી છે. કેટલીક તો ચેખોવ અને મોપાંસા જેવાની અમર કૃતિઓની કક્ષાની છે.
ભૌતિકવિજ્ઞાનનાં માઇન્ડ ટનલના કૉન્સેપ્ટ પર આધારિત આ સાયન્સ ફિક્શન ચુંબકીય આકર્ષણોના નિયમો પર આધારિત ક્વૉન્ટમ ફિઝિક્સના અત્યાધુનિક વિશ્વમાં લઈ જાય છે. જેમાં પ્રણયત્રિકોણ, મિત્રતા, માતૃપ્રેમ, દેશપ્રેમ જેવાં સંવેદનો પણ ગૂંથાયેલાં છે.
અનિરૂધ્ધ, અક્ષય અને અંજલિ... પ્રણય ત્રિકોણના ત્રણ એવા ખૂણા જે સતત પોતાનું સ્થાન બદલતા રહે છે. એકમેકની જગ્યા પૂરી દેવા-એકમેકના ખાલીપાને ભરવા સૌ વારેવારે ભૂતકાળમાં પ્રવાસ કરે છે.
પરિસ્થિતિ અને સંજોગોના ઊબડખાબડ રસ્તે પસાર થતાં જિંદગી એવા પથ પર લાવી ને મુકી દે છે કે “તમને બધું જ જોઈતું હોય ત્યારે કશું ના મળે અને જ્યારે બધું આવી મળે ત્યારે એ મળ્યાનો રોમાંચ, એ મળ્યાની થ્રિલ કે તૃપ્તિ લગભગ શૂન્ય થઈ જાય...”
₹800.00
ધીરુબહેન પટેલની `આગન્તુક' વાંચી, ત્યારથી મને લાગતું હતું કે આ વિચારબીજ સાથે એક જબરજસ્ત થ્રિલર બની શકે. લગભગ 20 વર્ષ સુધી મેં આ કથાબીજને મારી ભીતર વિકસવા દીધું છે, જેમાંથી જન્મી છે ‘રાગ - વૈરાગ'ની થ્રિલર લવ સ્ટોરી!
₹725.00
શિરીષ પંચાલ
ઇંગ્લૅન્ડના ઉત્તમ નવલકથાકારોની વાત કરતી વખતે વિવેચકો રેબેક્કા ના આ સર્જક એમિલી બ્રોન્ટીની વાત ખાસ કરતા નથી,પણ કોઈ લોકપ્રિય નવલકથા કેટલી હદે ઉત્તમ કૃતિ હોઈ શકે,માનવચિત્તનાં સાતે પાતાળ કેટલી હદે તાગી શકે આ નવલકથા-રૂપાંતર રાજેશ્વરીએ પૂરો પાડ્યો છે.
₹525.00
શૈલેશ પારેખ
શ્રી બુદ્ધદેવ બસુ (૧૯૦૮-૧૯૭૪)ની બંગાળી નવલકથા, ‘રાત ભરે વૃષ્ટિ’, ૧૯૬૭માં પ્રગટ થઈ. અશ્લીલતાના આરોપને કારણે નીચલી કોર્ટે તેને વિતરણ અટકાવ્યું એટલું જ નહીં પણ તેની હસ્તપ્રતનો પણ નાશ કરવાનો હુકમ કર્યો.
સર રઘુનંદનસિંહ નરોત્તમ... એમની જિંદગીના છેલ્લા દિવસો એકલવાયા વિતાવી રહ્યા છે... બે દીકરા છે, શૈલરાજસિંહ અને સિકંદર. બે પત્નીઓ, શક્તિબા અને નિલોફર... પરંતુ, અત્યારે એમની સાથે એમના વફાદાર સેવક મહેરુ સિવાય કોઈ નથી!
ધીરુબહેન પટેલની સૌ પ્રથમ નવલકથા એટલે ‘વડવાનલ’. માનવ કેટલું દુઃખ સહન કરી શકે તેનો તાગ મેળવવા મથે છે. અને બાલ્યાવસ્થાથી જ જે પ્રક્રિયા શરુ થઈ તે જીવનના અંત લગી એનો કેડો મુકતી નથી એ દશાર્વે છે - એના મુખ્ય પાત્રની એકોક્તિ દ્વારા.
ધીરુબહેન પટેલની આ નવલકથા વાચક પાસે મૈત્રીનાં મૂલ્ય લઈને આવે છે. અલબત્ત એમનાં પાત્રો રાબેતા મુજબ રાબેતાથી સાવ જુદાં છે. સ્ત્રી-પુરુષની મૈત્રી - નિર્મળ અને સુખદ મૈત્રી - જેને જડી જાય એની ઇર્ષ્યા જ આવે પણ એ તો ભાગ્યની વાત છે.
બધા વટેમાર્ગુઓને ચેતવણી મળે છે. રાતે વાંસવનની આજુબાજુ સૂવું નહીં. આખરે વાંસ એટલે વાંસ કંઈ કહેવાય નહીં ઓચિંતો ફૂટી નીકળે વચ્ચે જે કંઈ આવે એને વીંધી નાખે. ક્યાં ઊગશે, ક્યારે ઊગશે કોણ જાણે? કદાચ આ પુસ્તકનાં પાનાં ફેરવતાં જવાબ જડે તો જડે! જોઈ
આ કથાઓનું ફોર્મેટ આમ તો 'ટૂંકી વાર્તા'નું છે, પણ કેટલીક વાર્તાઓ લાંબી છે. જીવનના પ્રવાસમાં કેટલાંક વળાંકે મળી ગયેલા, થોડાં ડગલાં સાથે ચાલેલા અને પછી કોઈક વળાંકે છૂટા પડી ગયેલા અનેક પાત્રો આ વાર્તાઓમાં ચહેરા બનીને ઉપસ્યા છે.
તાયા... એક નાની સરખી એકલી અજૂબી છોકરી – જેમ વાયરો ઉડાડે તેમ ઊડતી – ચોખ્ખા દિલની ને ચોખ્ખાં કર્મની તેને મહાલીબા મળ્યાં અને ફૂંક મારતાંમાં ચાલ્યાં ગયાં.... અતુલ ગયો, માતાજી ખોવાયાં સુબંધુ ફસાવી ન શક્યો.
રઇશ મનિઆર
પ્રથમ વિશ્વયુદ્ધના સમયનાં રજવાડાંના એક ગામ ચંદ્રપુરની ભોમકા પર આલેખાયેલી આ કથા પ્રેમની, ટેકીલાપણાની અને સાહસની ક્લાસિક છતાં લોકભોગ્ય કથા છે. વીર-વત્સલા નવલકથા એક રીતે વત્સલાની વીરતાની કથા છે તો બીજી રીતે વીરસિંહ અને વત્સલાની પ્રેમકથા છે.
પ્રકાશ ત્રિવેદી + નીના સંઘવી
અમેરિકામાં રહેતું યુગલ સફળતાનાં શિખરો આંબે છે. તેમનું ઘર એટલે સૌ માટે ઉષ્માસભર ઉતારો. પરંતુ 2008ની મંદીમાં ઑફિસની સાથે ઘર પણ વેચવું પડે છે. પત્ની ડિમેન્શિયાનો ભોગ બને છે. બદલાતા સમય સામે પારિવારિક એકતાની વાત કરતી આ કથા દરેક ગુજરાતીને પ્રેરણા આપશે.
અનિલ ચાવડા
મહાન ગાથા મહાભારતનું એક પાત્ર શિખંડી. પોતાના પ્રથમ જન્મમાં કાશીનરેશની રાજકુમારી તરીકે જન્મેલી અંબા રાજકુમાર શાલ્વને ચાહે છે, પરંતુ હસ્તિનાપુરની વંશવૃદ્ધિ માટે ગંગાપુત્ર ભીષ્મ દ્વારા તેનું અપહરણ થતાં તેના જીવનની દિશા અને દશા બંને બદલાઈ જાય છે.
ધીરુબેન પટેલની પ્રખ્યાત નવલકથા
રુક્મણિ, સુરતના ચકલા વિસ્તારમાં દેહવ્યાપારના વ્યવસાયમાં ફસાઈ ગયેલી, એક સ્વમાની, મહત્ત્વાકાંક્ષી અને હિંમતવાળી છોકરી... પોલીસથી શરૂ કરીને દલાલ સુધી એ કોઈનાથી ડરતી નથી.
ધ્વનિલ પારેખ
ગઝલકાર અને નાટ્યલેખક ધ્વનિલ પારેખ નવો સાહિત્યપ્રકાર ખેડે છે અને લઘુનવલ પર કલમ અજમાવે છે.સુરતનો એક બિલ્ડર અનેક ઇમારતોનાં નિર્માણ કરી પોતાના ક્ષેત્રમાં ટોચ ઉપર પહોંચે છે.બધી જ રીતે સુખીસંપન્ન એના પરિવારમાં દીકરીનો જન્મ થતાં સોનામાં સુગંધ ભળે છે.
₹150.00
ચરોતરના ગામમાં વસતો એક હસતો-રમતો ખેડૂત પરિવાર. ઢળતી ઉંમરે પિતાની નિવૃત્તિ બાદ જ્યેષ્ઠ પુત્ર ખેતર અને ઘરની જવાબદારીઓ ઉપાડી લઈ પિતાનો આજ્ઞાંકિત પુત્ર બને છે. તેની પારિવારિક નિષ્ઠા, સમર્પણ અને સત્યપરાયણતાથી માત્ર પરિવાર જ નહીં.
નિમિત્ત ઓઝા (ડૉ.)
સટોરી એટલે આત્મબોધ. અચાનક મળેલા આત્મ-જ્ઞાનને ઝેન બુદ્ધિઝમમાં સટોરી કહેવાય છે. આ કથા આત્મોદ્ધારની છે. વિષાદ યોગથી પીડાતી મારા અને તમારા જેવી એક વ્યક્તિનું જીવન, સમજણ અને સ્વીકારથી કઈ રીતે પરિવર્તન પામે છે એની કથા છે.
બે તદ્દન જુદી માનસિકતા ધરાવતી વ્યક્તિ પ્રેમમાં પડે તો શું થાય? આ નવલકથાનો નાયક સત્યજીત, પેથોલોજીકલ લાયર છે. માનસશાસ્ત્રમાં આ એક ડિસઓર્ડર છે. કેટલીક વ્યક્તિ કોઈ કારણ કે જરૂરિયાત વગર જૂઠ્ઠુ બોલે છે. એમનો આશય છેતરવાનો કે કોઈ ગેરફાયદો ઉઠાવવાનો ન પણ
મહિમા જયસિંહ... માત્ર મુંબઈ જ નહીં, નૅશનલ અખબારો માટે પેજ થ્રી પર્સનાલિટી! એનો એક્સ પતિ રાહુલ સેન, મૉડેલ, હૉલીવુડ-બૉલીવુડનો હીરો... અનેક સ્ત્રીઓનાં સપનાંનો રાજકુમાર. અર્જુન જયસિંહ... મહિમાનો ભાઈ અને એનો વિરોધી.
લગ્ન કરીને અમેરિકા ગયેલી અથવા કહો કે અમેરિકા જવા માટે લગ્ન કરતી ગુજરાતી યુવતીની આ સંઘર્ષગાથા સત્યઘટના પર આધારિત છે. સપ્તપદીનાં સાત વચનો લગ્ન બાદ કેટલી હદે પળાય છે તેના ઉપર આ કથા યક્ષપ્રશ્ન ઊભો કરે છે.
જીવનસંધ્યાના સમયે પાછળ વળીને જોયેલું જીવન કેવું દેખાય? વરસો પહેલાં છોડી દીધેલું ગામ, એ મિત્રો, એ સમયના લોકો અને એમની સાથે બનેલી ઘટનાઓની ઉપર વીતેલા જીવનનો પડછાયો ફરી વળ્યો હોય. એક ઉંમરે ક્લોઝ-અપમાં જોયું હોય તે લૉન્ગ શૉટમાં ફેરવાઈ જાય અને પાછલી વયે એ
મગજ કસવું પડે એવા સામાજિક વહેવારો, રિવાજો કે પછી કુરિવાજો એવું વરવું સ્વરૂપ ધારણ કરતા જાય છે કે એનો ઉકેલ આપવા અદાલતોએ ઘણીવાર નુક્તેચીની કરવી પડે છે. જેમ કે,એક સવાલ એવો પણ છે કે, એક પિતા પોતાનાં બે સંતાનો પૈકી એક પુત્રના લગ્નસંબંધો સરળતાથી બાંધી શકાય.
લગભગ બે દાયકાના અંતરાલ પછી ખલીલ ધનતેજવીએ ગુજરાતીમાં બિલકુલ ફ્રેશ નવલકથા લખી છે : ‘સુંવાળો ડંખ’. પ્રણયત્રિકોણ - ચતુષ્કોણની રસાકસીભરી આ નવલકથામાં એક તરફ ગામડામાં પાંગરેલો સ્વાતિનો બાળપણનો એકતરફી પ્રેમ છે, તો બીજી તરફ કવિહૃદયમાં ઝંકૃત થયેલો પારુલ
નારીજીવનની સમગ્રતાને આલેખતી સામાજિક નવલકથાઓનાં લેખિકા ધીરુબહેન પટેલની લઘુનવલ ‘હુતાશન’ એક માતાના સંતાનપ્રેમની કથા છે. કથાનાયિકા વત્સલાને પોતાના એકના એક સંતાન આશિષ માટે અનન્ય લગાવ છે.