Details

  1. home
  2. Products
  3. ઉમાશંકરનો વાગ્વૈભવ

ઉમાશંકરનો વાગ્વૈભવ

Umashankarno Vagvaibhav

By: Chandrakant Sheth
₹1750.00

ઉમાશંકર જોશી... ગુજરાતી ભાષાના શિરમોર સાહિત્યકાર જેમણે પોતાની છ દાયકાની સર્જનસાધના દરમ્યાન ગુજરાતી સાહિત્યને મૂલ્યવાન સાહિત્યવારસો આપ્યો છે. આ પ્રશિષ્ટ સાહિત્યકારની કાવ્ય ઉપલબ્ધિઓ અને સાહિત્યક વલણો કવિ ચંદ્રકાન્ત શેઠને નિરીક્ષણ અર્થે પ્રેરે છે અને તેઓ આલેખે છે મહાનિબંધ ‘ઉમાશંકરનો વાગ્વૈભવ’. ડબલ ડેમી સાઇઝનાં આશરે ૬૦૦ પૃષ્ઠોમાં પથરાયેલો આ મહાનિબંધ ઉમાશંકરનાં કાવ્યસર્જન, નાટ્યસાહિત્ય, કથાસાહિત્ય, નિબંધસાહિત્ય, ચરિત્રસાહિત્ય, પ્રવાસસાહિત્ય અને વિવેચનપ્રવૃત્તિ, આમ તેમનાં સમગ્ર સાહિત્યનું એક જ પુસ્તક દ્વારા સમ્યગ્દર્શન કરાવે છે. વળી અભ્યાસુઓ માટે  આ આવૃત્તિમાં વ્યક્તિ તથા પુસ્તકસૂચિ પણ ઉમેરાઈ છે. કવિ ચંદ્રકાન્ત શેઠ દ્વારા તેમના ગુરુ કવિ ઉમાશંકર જોશીને તર્પણ રૂપે અર્પણ કરાયેલ આ મહાનિબંધ સાહિત્યપ્રેમીઓ માટે ઉપયોગી સાબિત થશે.

 

Product Details

  • Pages:690 pages
  • Language:Gujarati
  • Format:Hardback

Similar Books

View All