શ્રદ્ધા ભટ્ટ
સંબંધોના મહાસાગરમાં જીવતા મનુષ્યના મનોજગતમાં ભાવોની અનેક ભરતી અને ઓટ આવતી હોય છે. આવા જ અકથ્ય ભાવોની ભરતી અને ઓટને શ્રદ્ધાબહેને ટૂંકી વાર્તાનું સ્વરૂપ આપ્યું છે. વાર્તાનાં પાત્રો ખૂબ સામાન્ય છે જે આપણી આસપાસ જ જીવતાં હોય છે.
₹275.00
જિગીષા પાઠક
બદલાતા સમયની સાથે માણસનું સંવેદનવિશ્વ પણ બદલાતું રહ્યું છે. વ્યાવહારિક રીતે સમાજની વચ્ચે રહેતો માણસ ભીતરથી એકલો જણાય છે. માણસની ભીતર ચાલતાં આવાં જ અકથ્ય સંવેદનોને વાર્તાનું સ્વરૂપ આપ્યું છે જિગીષાબહેને.
₹200.00
રજનીકુમાર પંડ્યા
ત્રીસી વટાવી ચૂકેલો યુવાન મોહિત લગ્ન માટે કન્યાઓ જોતાં-જોતાં અનાયાસે જ પોતાના મિત્ર સુરેશની દીદીને જોઈ બોલી ઊઠે છે, અહા, કેટલી સુંદર! અને સર્જાય છે સુંદર પ્રેમકથા. ઘાસલેટની એજન્સીના માલિકનો દીકરો મોહન ઊતરતી કોમની સુધીના પ્રેમમાં પડે છે.
₹300.00
હસમુખ કે. રાવલ
કહેવાય છે કે સમાજનો આયનો એટલે વાર્તા. પરંતુ હસમુખભાઈ રાવલની વાર્તાઓમાં સમાજમાં બનતી ઘટનાઓ અને પ્રસંગોની સાથે મનુષ્યના અંતરમનમાં ચાલતા ભાવવિશ્વનું પ્રતિબિંબ ઝિલાતું જોવા મળે છે. આંતર-બાહ્ય જગતમાં ડોકિયું કરાવતી આ વાર્તાઓ દરેક વાચકને સ્પર્શી જશે.
રૂબી જાગૃત
40 ટૂંકી વાર્તાઓનો આ સંગ્રહ જેમ રંગો કૅન્વાસ પર પ્રસરી જાય, ફેલાઈ જાય અને કોઈ આકાર રચાય તેવા સહજભાવે આ વાર્તાઓ રચાઈ છે. તેમાં ક્યારેક અવનવા સ્નેહનાં સ્પંદનો તો ક્યારેક ક્રૂરતા અને સ્વાર્થની પરાકાષ્ઠાએ સ્થાન લીધું છે. પ્રત્યેક અનુભૂતિની સાથે
આરાધના ભટ્ટ
લોકશાહીનો ચોથો સ્તંભ એટલે પત્રકારત્વ. અંગ્રેજીમાં એને ફોર્થ એસ્ટેટ અને ગુજરાતીમાં ચોથી જાગીર તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2021-22માં ગુજરાતી પત્રકારત્વને 200 વર્ષ પૂરાં થયાં. આ બે શતાબ્દી દરમિયાન કેટલાય પત્રકારોએ આ ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું.
₹325.00
ધીરુબહેન પટેલ
માણસને પોતાના જ ડહાપણનો ભાર લાગે એવું બને? હા, બની શકે. શક્ય છે કે સમયના વહેણમાં તરી રહેલા માણસને ખુદનાં સત્યો અપ્રસ્તુત કે અસરહીન લાગવા માંડે. આવી સ્થિતિમાં એ કશુંક ‘આઉટ-ઑફ-ધ-બૉક્સ’ વિચારે, અત્યાર સુધી જ્યાં ક્યારેય જોયું નહોતું એવી દિશામાં નજર
બાદલ પંચાલ
મહાનગર મુંબઈ. સવાર સાંજ દોડતી લોકલ. ટ્રાફિક જામમાં અટકતા વાહનો. ખદબદતી ઝૂંપડપટ્ટીઓ અને કશુંક પામવા દોડી રહેલું માનવ મહેરામણ. આ રોજિંદી ઘટમાળ વચ્ચે જીવન જાણે યંત્રવત્ બની ગયું છે. અને આ જ યંત્રવત જીવનની વચ્ચે યુવા વાર્તાકાર બાદલ પંચાલને દેખાય છે
જિજ્ઞા પટેલ
વાર્તા સમાજનું દર્પણ છે. સારો કે વરવો, સમાજનો વાસ્તવિક ચહેરો વાર્તારૂપી દર્પણમાં પ્રતિબિંબિત થાય છે. સદીઓથી આપણો સમાજ રૂઢિગત પરંપરાઓ અને રીતિરિવાજોની બેડીમાં બંધાયેલો રહ્યો છે.
ધીરુબહેન પટેલના ગદ્યનો નિખાર માણવો હોય તો આ પુસ્તકમાં સંગ્રહાયેલી એમની 36 નવલિકાઓમાંથી પસાર થવું પડે. ‘વિનીનું ઘર’ એક સ્ત્રીની વાત છે, જે સમાજની દૃષ્ટિએ સંભવતઃ ચારિત્ર્યહીન છે.
શિરીષ પંચાલ
માનવીના જીવનમાં આવતી કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓ તેને અજવાસમાંથી અંધકારમાં ધકેલી દેતી હોય છે. આ અંધકારમાંથી પાછા અજવાસ તરફ જવા મથતો માનવજીવ બની જાય છે તમસલોકનો યાત્રી.
દરેક પળે નવું જાણવા મથતા બાળકના મનોવિશ્વમાં લટાર મારી ઊગતી ઉંમરના ભાવો પ્રગટ કરતી આ વાર્તાઓ ચોટદાર છતાં સંવેદનશીલ છે. કલ્પનાઓ, બાળહઠ, લાગણીઓ, કુતૂહલ અને વિસ્મય જેવા અનેક રંગોને પોતાની પાંખોમાં સમાવી લેતી આ વાર્તાઓ બાળકોને તિતલીલૅન્ડમાં જરૂર લઈ જશે.
તીરછી નજર’ એ ‘હાસબિલોરી’ અને ‘શબ્દઠઠ્ઠા’ પછીનો રજનીકુમાર પંડ્યાની હાસ્યરચનાઓનો ત્રીજો સંગ્રહ છે. હાસ્યરચનાનું સર્જન તત્ત્વતઃ તીરછી નજરનો જ ખેલ હોય છે. હાસ્યકારને તીરછી નજરનું વરદાન મળેલું હોય છે.
સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’
ઊની પહેરણ પહેરી ખુદની બંદગીમાં લીન રહેતો સંપ્રદાય એટલે સૂફીપંથ. સૂફીપંથના સૂફીસંગીત અને સૂફીનૃત્ય જેટલી જ પ્રભાવક છે સૂફીકથાઓ. આરબ પ્રદેશમાં વહેતી દજલા નદીને કાંઠે ઇસ્લામ ધર્મના સંતોએ તત્ત્વજ્ઞાનથી છલકાતી સૂફીકથાઓ રચી
સ્વભાવે સરળ છતાં અકળ એવા બાઉલોની કથાઓ તેમની દિનચર્યા અને રહેણીકરણીમાંથી જન્મે છે. ધીમા અવાજે કહેવાયેલી આ કથાઓએ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને પણ પ્રભાવિત કર્યા હતા. આ કથાઓમાં બાઉલ પરંપરા સાથે તેમનાં ગીતોની આછેરી ઝલક પણ જોવા મળે છે.
સમીરા દેખૈયા પાત્રાવાલા
લેખિકા સમીરા દેખૈયા પત્રાવાલા વિચારબીજથી લઈને વાર્તા લખવા સુધીની સફર ખેડી સત્તર ચોટદાર વાર્તાઓનું સર્જન કરે છે.આ વાર્તાઓ ભાવકો સુધી પહોંચવા માટે સ્વરૂપ લે છે એક પુસ્તકનું જેનું શીર્ષક છે ‘ફકીરની પાળ’.આ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ છે.
₹225.00
જીવનનું રહસ્ય શું છે? ભૌતિકવાદીઓ અનુસાર તે મૃત્યુ સુધીની એક સફર છે. અધ્યાત્મવાદીઓ મૃત્યુને અલ્પવિરામના આત્માને અજર-અમર માને છે. ધાર્મિકો અને દાર્શનિકો પણ પોતાનાં અલગ મંતવ્યો રજૂ કરે છે.
વીનેશ અંતાણી
હોઈ શકે છતાં ન પણ હોય એવો હરકાન્ત; અંદરથી સબડતા રહેવાની ઋતુમાં બે ફાડિયાં થઈ જતી માધવી; ઘરના હીંચકાઓની વચ્ચે નિજનો હીંચકો ખોઈ બેઠેલી કાન્તા; પોતાના ઘરમાં ભૂતકાળનો એક ટુકડો રંગવા આવેલો ક્રિસ્ટોફર.
કાજલ ઓઝા વૈદ્ય
જેને આપણે પળપળ યાદ કરીને જિંદગીના વર્ષો વિતાવ્યાં હોય, ક્ષણેક્ષણે જેની સ્મૃતિથી આપણી આંખો ભીંજાઈ હોય, જેની હાર પહેરાવેલી તસવીર આપણા ઘરમાં સતત જોઈ હોય એવી કોઈ વ્યક્તિ અચાનક આપણી સામે આવીને ઊભી રહી જાય તો?
₹475.00
ગુરુદેવ શ્રી રવીન્દ્રનાથ ટાગોરે આઠ દાયકાના આયુષ્યકાળ દરમિયાન જીવનનો ચોથો દાયકો કલકત્તાથી દૂર સિલાઈદાહમાં વિતાવ્યો.અહીં તેઓ બંગાળના ગ્રામ્યજીવનથી પરિચિત થયા.નાવિક, મછવારા, ડોળી ઉપાડનારા કહાર અને વિવિધ બાઉલના સંપર્કમાં આવ્યા, જેમાંના એક હતા ગગન બાઉલ.
₹375.00
મધુ રાય
આપણી ભાષાના લોકપ્રિય સર્જક મધુ રાય. અમેરિકાની આબોહવામાં શ્વાસ લેતાં લેતાં નજર કરે છે વિશ્વના ખૂણે ખૂણે સતત બદલાતા જતા માનવજીવન પર અનુભવે છે સાંપ્રત સંવેદનોને અને પરખે છે નવું રૂપ ધરતા સંબંધોનાં સમીકરણોને.
વૈશ્નવી પારેખ – કરોડપતિ પિતાનું એકનું એક સંતાન! તેજસ્વી, રૂપાળી, લાડકી અને આઝાદ મિજાજ! વૈશ્નવી એના પિતાના ડ્રાઇવરના દીકરા માધવના પ્રેમમાં છે. માધવ દેસાઈ – IIMAનો પાસઆઉટ. વૈશ્નવી ઘરેથી ભાગીને માધવ સાથે પરણે છે.
₹425.00
Compilations of Stories
66 નવોદિત અને નીવડેલી લેખિકાઓનો વાર્તાસંગ્રહ : પુસ્તકની આ ટેગ-લાઇન ગર્વ અનુભવાય એવી છે. આ સંગ્રહની વાર્તા-લેખિકાઓ એમની લેખિની વાર્તાસ્પર્ધામાં નીવડેલી સાબિત થઈ છે. મે 2018માં બહેનો માટે વાર્તાલેખન સ્પર્ધા યોજાઈ હતી, તેમાં 80થી વધુ વાર્તા મળેલી.
₹450.00
દર્શા કિકાણી
શાળાઓમાં વાર્તાલેખનને પ્રોત્સાહન આપવાના હેતુથી છેલ્લાં નવ વર્ષથી યોજાતી સ્પર્ધા એટલે વાર્તામેળો. આ સ્પર્ધાના અંતે પ્રાપ્ત થયેલી વિજેતા વાર્તાઓનો સંગ્રહ એટલે ઝેન ઓપસ દ્વારા પ્રસ્તુત દર્શાબહેન કિકાણી સંપાદિત પુસ્તક ‘વાર્તામેળો’.
વાર્તાસંપુટમાં ધીરુબેન પટેલની 151 ટૂંકી વાર્તાઓ સમાવિષ્ટ થઈ છે. આ દળદાર ગ્રંથ તમારા બુકશૅલ્ફનું સૌથી વધુ વાંચન આપતું પુસ્તક ન બને તો જ નવાઈ!
₹1,000.00
દીવાન ઠાકોર
જિવાતા જીવનમાં બનતી વિવિધ ઘટનાઓ મનની સપાટી પર અથડાયા કરતી હોય છે. આ ઘટનાઓથી ઉદ્ભવતાં સંવેદનો શબ્દનું રૂપ ધરી વાર્તા બની જાય છે. વાર્તાકાર દીવાનભાઈ ઠાકોર પણ આવી ઘટનાઓ સાથે સ્વને જોડીને વાર્તાસર્જન કરતા આવ્યા છે.
₹250.00
દસકાઓથી બંગાળ – શાંતિનિકેતનના મુલાકાતી રહેલા કવિશ્રી સતીશચંદ્ર વ્યાસ જીવનમૂલ્યો સંકોરતાં શિક્ષણમૂલ્યોની માવજત કોણ, કેવી રીતે કરી શકે તે વિગતો ‘શાંતિનિકેતન : બાઉલની નજરે’માં 26 રસપ્રદ લેખો દ્વારા આપે છે. આજે શિક્ષણની દશા અને દિશા વિષે સંઘર્ષ અનુભવાય
₹150.00
મૌલિન શાહ (ડૉ.)
પીડિયાટ્રિક ઑર્થોપેડિક સર્જન ડૉ. મૌલીન શાહ દર્દથી પીડાતાં બાળકોના જીવનમાં ગતિ, ઉલ્લાસ, આશા અને નર્તન ભરે છે સાથે તેમની સારવાર દરમિયાન આવેલી અડચણો અને મુશ્કેલ સંજોગોમાંથી માનવતાસભર અભિગમ ધરાવતા સંવેદનશીલ પ્રસંગોનું વાર્તાસ્વરૂપે નિરૂપણ કરે છે.
ટૂંકી વાર્તાઓથી લાંબા અને નવલિકાથી ટૂંકા સાહિત્યપ્રકારમાં લખાયેલી ચાર કથાઓ બેબાક, બિન્દાસ હોવા છતાં સંવેદનશીલ છે. કોમ્પ્લેક્સ છતાં કોમળ, ડિફીકલ્ટ છતાં ડીપ, પ્રોબ્લેમેટીક છતાં પ્યોર એવા માનવ મનનો ચિતાર આપતી જીવનશૈલીની માનવીય સંબંધો પર છે.
રોજ-બરોજના જીવનમાં આપણે અનેક નાની-મોટી ઘટનાઓના સાક્ષી બનીએ છીએ અનેકવિધ પાત્રોના સંપર્કમાં પણ આવીએ છીએ. એ ઘટનાઓ અને પાત્રોનો સપાટી પરનો રંગ જુદો છે અંદરના પ્રવાહોની રંગછટા જુદી છે એ રંગછટાઓને જાણવાનો આ રીતે શબ્દો દ્વારા સપાટી પર લાવવાનો આ પ્રયાસ છે.
માધ્યમ ગમે તે હોય પરંતુ બે વ્યક્તિ વચ્ચે જ્યારે ‘સંવાદ’ થાય છે ત્યારે ગેરસમજણ દૂર થાય છે અને પરસ્પર વિશે તથા પોતાના વિશે પણ સમજણ પ્રગટે છે. ‘હું + તું = આપણે’ એક રીતે જોવા જાવ તો વ્હાલી આસ્થાની સિક્વલ છે.
₹525.00
યામિની પટેલ
સમાજની ગુનાહિત ગલીઓમાં જઈ શબ્દનો દીવો કરનાર સાહિત્યપ્રકાર એટલે રહસ્યકથાઓ. ગુજરાતીમાં રહસ્યકથાઓના મૌલિક સર્જનની તુલનામાં વિદેશી રહસ્યકથાઓ અથવા તો ડિટેક્ટિવ વાર્તાઓનો અનુવાદ દાયકાઓથી થતો આવ્યો છે.
રાજેન્દ્ર પટેલ
આપણા જીવનમાં એવા પ્રસંગો બનતા હોય છે જે આપણને અંદરથી હચમચાવી મૂકે. આવા પ્રસંગો પર આપણે તો સહજ આંસુ સારી દઈએ, પરંતુ વાર્તાકાર રાજેન્દ્ર પટેલ માટે તે વાર્તાનો વિષય બને છે.કોઈ ઠોસ અનુભવથી જાગી ગયેલાં સંવેદનો રાજેન્દ્રભાઈને લખવા માટે વિવશ કરી મૂકે છે.