ધીરુબહેન પટેલ
પુસ્તકની વાંચનસામગ્રી એના શીર્ષક પરથી જ સ્પષ્ટ થઈ જાય છે. અહીં ધીરુબહેન પટેલ એક તરફ ઝુમ્મરિયા જાસૂદ અને કામિનીનાં ફૂલથી લઈને શિરીષની કલગી સુધીની વાત કરે છે, તો બીજી તરફ પ્રફુલ્લિત રહેવાની કલા શીખવે છે. તેઓ મુંબઈમાં વિકસેલી એમની લેખનપ્રક્રિયા વિશે પણ વાત કરે છે ને સાથે ‘સેલ્ફ રિસ્પેક્ટ વગરનાં’ ગલૂડિયાંની તરફદારી પણ કરે છે. લેખિકાનું સમૃદ્ધ આંતરિક વિશ્વ અને જીવનરસથી છલછલતી એમની અલગારી પ્રકૃતિ આ પુસ્તકના એકાવન નિબંધોમાં સુંદર રીતે ઝિલાયેલી છે. સરળ, સહજ અને રમતિયાળ ભાષાપ્રવાહ, આનંદિત કરી દે એવાં નિરીક્ષણો અને આકર્ષક લાઘવ આ પુસ્તકના સૌથી મોટા પ્લસ પૉઇન્ટ્સ છે.