ભૂપત વડોદરિયા
જિંદગીને ઉત્સવની જેમ માણો...
જિંદગી ફક્ત જીવવા માટે નથી હોતી, પણ સાર્થક કરવા માટે હોય છે.
જિંદગીની સાર્થકતા સુખ અને શાંતિમાં છે,
જિંદગીની સાર્થકતા પોતાના લોકો સાથે દરેક ક્ષણ શ્રેષ્ઠતાથી જીવવામાં છે,
જિંદગીની સાર્થકતા કોઈને મદદરૂપ થવામાં છે અને જિંદગીની સાર્થકતા
આપણી પોતાની જાતને ઓળખવામાં છે.
મારા દરેક શબ્દનું સર્જન અંતે તો વાચકો માટે જ હોય છે. વાચકના દિલને સ્પર્શે ત્યારે સર્જન અને શબ્દો સાર્થક થાય છે. આ પુસ્તક કોઈના જીવનમાં તસુભરનું પરિવર્તન પણ લાવે તો એ મોટી ઘટના હશે... મારા શબ્દો આંખોથી ઝીલી દિલ સુધી લઈ જનાર દરેક વાચકને સલામ...