logo

કહો કે ના કહો (Ghazal Sangrah)

કહો કે ના કહો

મનોહર ત્રિવેદી

કાવ્ય, નવલકથા, વિવેચન, વાર્તા, નિબંધ, બાલવાર્તાઓ-ગીતો – એમ સાહિત્યનાં તમામ સ્વરૂપ સાથે સુપેરે કામ પાડનાર કવિશ્રી મનોહર ત્રિવેદીના નવતર સંગ્રહ ‘કહો કે ના કહો’ એ ગીતો, ગઝલો અને અછાંદસ કાવ્યોનો સંગ્રહ છે.
ગીતો કવિને હાથવગાં નહીં, પણ હૈયાવગાં છે, તેથી સતત વહેતી સરવાણની જેમ ઊતરી આવે છે. વર્તમાનમાં ગીતો પ્રમાણમાં ઓછાં અને આછાં લખાય છે ત્યારે આ કવિએ દૃઢતાપૂર્વક સબળ ગીતો આપ્યાં છે.
સંગ્રહમાં કવિની ૪૦ જેટલી ગઝલો સમાવિષ્ટ કરવામાં આવી છે. ગઝલની સામાજિક નિસબતને સાથે રાખી અવનવા રદીફ-કાફિયા વાતચીતની ભાષામાં લઈ ગુજરાતી ગઝલમાં કંઈક નવું ઉપજાવવાની મથામણ દેખાઈ આવે છે. અંતે સંગ્રહમાં દસ-બાર જેટલાં છાંદસ-અછાંદસ અને લઘુ કાવ્યો આપ્યાં છે.

₹200.00

  • Pages: 136 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Ghazal Sangrah
  • Dimensions: 220 cm x 144 cm
  • Weight: 156 gm

Books from same Author

scroll-top