રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
સર્જનાત્મક કૃતિ એક મુક્ત એન્ટિટી છે. એને એક કરતાં વધારે રીતે માણી શકાય, એક કરતાં વધારે સ્તરથી નીરખી શકાય. ભાવક બદલાય એમ કૃતિનું અર્થઘટન પણ બદલાય, પણ સર્જક ખુદ જ્યારે પોતાની કૃતિનો રસાસ્વાદ કરાવે તો? તો ભાવકને વિશિષ્ટ અનુભૂતિ થયા વગર ન રહે. આ પુસ્તકમાં રાજેશ વ્યાસ ‘મિસ્કીન’એ પોતાની 46 ગઝલોનો વિસ્તૃત આસ્વાદ કરાવ્યો છે. આ પુસ્તકની મજા એ છે કે તે આપણને ‘મિસ્કીન’ના પદ્યમાંથી જ નહીં, એમના ગદ્યમાંથી પસાર થવાનો પણ આકર્ષક મોકો આપે છે.