વિનોદ માણેક
કૃષ્ણપ્રેમના અનાયાસે સ્ફુરેલી આ ચોર્યાસી રચનાઓ એક અનેરા ભાવવિશ્વમાં ડુબાડીને જાણે રાધા, મીરા, યમુના, વ્રજ, મેવાડ અને સાક્ષાત્ શ્રીજીસ્વરૂપ શ્રીનાથજીની સમીપે લઈ જતાં હોય એવી અનુભૂતિનો આનંદ મને સાંપડ્યો છે, એ આનંદ તમારા હૃદયને ભીંજવશે. આ રચનાઓમાંથી ઘણી રચનાઓ કીર્તિદાન ગઢવી, અનીતા પંડિત, રાજુભાઈ ગોહિલ, ભરત ત્રિવેદી, દશરથભાઈ રાજગોર, ભરત પરમાર, નમ્રતાબહેન શોધન, પ્રકાશ ત્રિપાઠી, કલીમ ખાન, હર્ષિત ત્રિવેદી, દેવેન્દ્ર વેદાંત જેવા કલાકારો દ્વારા સ્વરાંકિત થઈ છે અને લોકપ્રિય થયેલી છે. કૃષ્ણપ્રીતિની આ મધુર રચનાઓને માણજો અને આપનાે પ્રતિભાવ આપજો!