રિઝવાન કાદરી
ગાંધીજીએ પોતાનાં અત્યંત પ્રિય મહાદેવભાઈ દેસાઈ માટે તેમના નિધન પછી પ્રગટ કરેલા પોતાના મનોભાવ એટલે ‘પ્યારેલાલ પેપર્સ’માં સચવાઈ રહેલો ગાંધીજીએ સ્વહસ્તે લખેલો ૧૬ પાનાંનો પત્ર...
આ પત્રમાં પાને પાને ઢોળાયેલો છે ગાંધીજીનો મહાદેવભાઈ પ્રત્યેનાં પ્રેમ, આદર અને લાગણી....
આ અપ્રસિદ્ધ પત્રને સંભારણારૂપે પ્રગટ કરતું પુસ્તક એટલે શોધકર્તા રીઝવાન કાદરી દ્વારા સંપાદિત ‘મહાત્માનો આત્મા’. જેમાં મહાદેવભાઈ વિષે ગાંધીજીના સ્વહસ્તે લખાયેલ સંભારણાં ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં આલેખાયા છે.
‘મહાત્માનો આત્મા’.