ધીરુબહેન પટેલ
આ શ્રીધર... કોઈ પણ હોઈ શકે?
ડેરાતંબુ ઉપાડતાં પહેલાં એક છેલ્લી નજર નાખી લેવાનું કોને મન ન થાય? કશુંક રહી ગયું, આડુંઅવળું મુકાઈ ગયું, સાફસૂથરું ન થયું એનો ઝીણો અજંપો લઈને જવાનું કોઈને ન ગમે. થોડોક વખત હોય તો બધું ઠીકઠાક કરી નાખવાની ઇચ્છા પણ થાય.
એ ઇચ્છાને વશ થવા જતાં માણસ વધારે ઊંડા કળણમાં ખૂંપે એવું પણ બને. એમાંથી નીકળવાનાં તરફડિયાં મારવાથી કંઈ ન વળે. તેવે વખતે શું કરવું? એ પ્રશ્નનો જવાબ શોધતાં શોધતાં આ વાર્તા લખાઈ ગઈ. આમ તો શ્રીધરની જ, પણ અંદરખાનેથી આપણા સૌની.
અનુસંધાન પામ્યા વિના આરો ક્યાં? અનુસંધાન પામ્યા પછી પ્રશ્નો ક્યાં?
બે પંક્તિઓ વચ્ચેની વાત વાચકો લગી પહોંચશે એવી શ્રદ્ધા છે.