આર. ડી. પટેલ
શું આજે આપણે અજંપામાં જીવન જીવીએ છીએ એનું એક મોટું કારણ એ નથી કે આપણે સતત સુખનું કાયમી સરનામું શોધવા માટે ફાંફાં મારતા રહીએ છીએ? આ સરનામું ન મળે ત્યારે આપણી સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે - જીવન વિશેના પ્રશ્નો, પોતાની જાત વિશેના પ્રશ્નો, પારસ્પરિક સંબંધો વિશેના પ્રશ્નો. આર. ડી. પટેલ લિખિત આ પુસ્તકના 23 લેખો તમને તમારી જીવનશૈલીનું પુનઃ મૂલ્યાંકન કરવામાં મદદ કરે તેવા નક્કર અને સત્ત્વશીલ છે. લેખક સ્વયં સાઇકોથેરપિસ્ટ હોવાથી એમના સરળ અને પ્રવાહી લખાણમાં ચોક્કસ ધાર જોવા મળે છે, જે આ વિચારપ્રેરક પુસ્તકનો મોટો પ્લસ પૉઇન્ટ છે.