આર. ડી. પટેલ
પુસ્તકનું આખું શીર્ષક છે, ‘કશું જ મારા હાથમાં નથી તોયે લાઇફ ઓકે’. આ શીર્ષક જ પુસ્તકમાં સગ્રહાયેલા 21 લેખોની તાસીર સ્પષ્ટ કરી આપે છે. લેખો રોજ-બ-રોજના જીવનમાં પેદા થતી પરિસ્થિતિઓને વાસ્તવિક તેમજ વ્યવહારુ રીતે મૂલવતાં શીખવે છે. લેખક આર. ડી. પટેલ સાઇકોથેરપિસ્ટ હોવાથી એમના લખાણમાં આપોઆપ એક પ્રકારનું અધિકારી વજન ઊતરી આવે છે. સરસ મજાનું વિચારોત્તેજક પુસ્તક.