logo

જિનધર્મ (Spiritual)

જિનધર્મ

ત્રૈલોક્યમંડનવિજયજી મહારાજ

ધર્મ એ જીવન જીવવાની એક એવી કળા છે કે જે તમને અંદરથી મજબૂત, સંવેદનશીલ અને જાગૃત બનાવે છે.
• જ્યારે તમે સોશિયલ મીડિયા પર લાઈક કે કમેન્ટના ચક્રમાં ફસાઈ જાઓ છો, ત્યારે ધર્મ તમને પૂછે છે – ‘તારી કિંમત બીજાના અભિપ્રાય પર આધારિત છે કે આત્માની શાંતિ પર?’
• જ્યારે તમે સ્પર્ધા અને દબાણનો સામનો કરો છો, ત્યારે ધર્મ તમને શીખવે છે – ‘સફળતા ફક્ત જીતવામાં નથી, પરંતુ પોતાના આત્માને ગુમાવ્યા વગર જીવવામાં છે.’
• જ્યારે સંબંધોમાં મતભેદ થાય છે, ત્યારે ધર્મ યાદ અપાવે છે – ‘સાચી જીત એ છે કે બીજાને જીતાડીને પણ જાતને ગુમાવવી નહીં.’
ધર્મ તમને કોઈ ભાર નથી આપતો; ધર્મ તમને અંદરથી હળવા બનાવે છે. તે તમને શીખવે છે કે, જીવન માત્ર survival માટે નથી, પરંતુ meaningful living માટે છે.
21મી સદીમાં ધર્મ તમારી સૌથી મોટી જરૂરિયાત છે, કારણ કે, એ તમને બહારની દુનિયા જીતતાં પહેલાં પોતાની અંદરની દુનિયા જીતવાની કળા શીખવે છે.
ધર્મ માનવાનો વિષય નથી, ધર્મ જીવવાનો ઉત્સવ છે. અને જો તમે એ કળા શીખી ગયા, તો આ યુગના બધા પડકારો તમારા માટે અવસર બની જશે.
 

₹325.00

  • Pages: 238 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Spiritual
  • Dimensions: 220 cm x 125 cm
  • Weight: 212 gm
scroll-top