શૈલેશ પારેખ
મહાભારતના સુપ્રસિદ્ધ પ્રસંગો પર આધારિત આ ત્રણ રચના દ્વારા રવીન્દ્રનાથ તેમની આગવી કાવ્યમય અને નાટ્યાત્મક શૈલીમાં પોતાનું ધર્મદર્શન સહજ અને સરળ રીતે પ્રસ્તુત કરતાં નિત્યધર્મનો મહિમા પ્રસ્થાપિત કરે છે. નિષ્ફળ અથવા અપ્રતિભાવિત પ્રેમને કારણે પ્રત્યેક કાવ્ય એક કરુણાંતિકા બની રહે છે. વાણીના વિપુલ વૈભવ છતાં આ સંવાદો બુદ્ધિગમ્ય હોઈ સમગ્ર કાવ્ય વિચારપ્રેરક બની જાય છે.