સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’
દસકાઓથી બંગાળ – શાંતિનિકેતનના મુલાકાતી રહેલા કવિશ્રી સતીશચંદ્ર વ્યાસ જીવનમૂલ્યો સંકોરતાં શિક્ષણમૂલ્યોની માવજત કોણ, કેવી રીતે કરી શકે તે વિગતો ‘શાંતિનિકેતન : બાઉલની નજરે’માં 26 રસપ્રદ લેખો દ્વારા આપે છે.
આજે શિક્ષણની દશા અને દિશા વિષે સંઘર્ષ અનુભવાય છે. ત્યારે સતીશ વ્યાસ તેની સામે કેમ લડવું એ વાત ખરીતા કે પરિપત્ર દ્વારા નહીં, પણ બાઉલની આંખે શિક્ષણસંસ્થાને જોઈને કહે છે. વિદ્યા, કલાબોધનાં સત્યો દ્વારા સૌંદર્યની ઝાંખી અને શિવમના પથ પરની યાત્રા સૂચવે છે.