Details

  1. home
  2. Products
  3. કહો કે ના કહો

કહો કે ના કહો

Kaho ke na Kaho

By: Manohar Trivedi
₹200.00

કાવ્ય, નવલકથા, વિવેચન, વાર્તા, નિબંધ, બાલવાર્તાઓ-ગીતો – એમ સાહિત્યનાં તમામ સ્વરૂપ સાથે સુપેરે કામ પાડનાર કવિશ્રી મનોહર ત્રિવેદીના નવતર સંગ્રહ ‘કહો કે ના કહો’ એ ગીતો, ગઝલો અને અછાંદસ કાવ્યોનો સંગ્રહ છે.
ગીતો કવિને હાથવગાં નહીં, પણ હૈયાવગાં છે, તેથી સતત વહેતી સરવાણની જેમ ઊતરી આવે છે. વર્તમાનમાં ગીતો પ્રમાણમાં ઓછાં અને આછાં લખાય છે ત્યારે આ કવિએ દૃઢતાપૂર્વક સબળ ગીતો આપ્યાં છે.
સંગ્રહમાં કવિની ૪૦ જેટલી ગઝલો સમાવિષ્ટ કરવામાં આવી છે. ગઝલની સામાજિક નિસબતને સાથે રાખી અવનવા રદીફ-કાફિયા વાતચીતની ભાષામાં લઈ ગુજરાતી ગઝલમાં કંઈક નવું ઉપજાવવાની મથામણ દેખાઈ આવે છે. અંતે સંગ્રહમાં દસ-બાર જેટલાં છાંદસ-અછાંદસ અને લઘુ કાવ્યો આપ્યાં છે.

Product Details

  • Pages:136 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All